દેશમાં વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ દરમિયાન આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણ, જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ, ICMR ડીજી ડો.બલરામ ભાર્ગવ હાજર રહ્યા હતા. રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે ભારત અમેરિકા પછી વિશ્વનો બીજો દેશ બન્યો છે જ્યાં સૌથી વધુ કોરોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. ગુરુવારે મહત્તમ 68584 લોકો સ્વસ્થ થયા.
આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11.72 લાખ પરીક્ષણો કરવામાં આવ્યા છે. જે અત્યાર સુધીમાં એક દિવસમાં કરવામાં આવેલી સૌથી વધુ ટેસ્ટ છે. રિકવરી કેસ સક્રિય કરતા સાડા ત્રણ ગણા વધારે છે. કોરોના વાયરસથી પ્રભાવિત રાજ્યો વિશે માહિતી આપતા તેમણે કહ્યું કે 62 ટકા સક્રિય કેસ પાંચ રાજ્યોમાં છે.
આ પણ વાંચો: દિવાળી સુધી કંટ્રોલમાં આવી જશે કોરોના,કેન્દ્રીય આરોગ્ય પ્રધાને કર્યો દાવો
મહારાષ્ટ્રમાં મહત્તમ 24.77 ટકા અને આંધ્રપ્રદેશમાં 12.64 ટકા છે. જ્યારે કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ રાજ્યો ત્રીજા અને ચોથા નંબર પર છે. જો આપણે સાપ્તાહિક ધોરણે જોઈએ તો આ 5 રાજ્યોમાં સક્રિય કેસ પણ ઘટ્યા છે.
આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણને વધુ આરએઆર અને ઓછા આરટી-પીસીઆર પરીક્ષણ હોવાના પ્રશ્નના પર તેમણે કહ્યું કે મારું માનવું છે કે કેટલાક રાજ્યો તેમની ક્ષમતા કરતા ઓછા આરટી-પીસીઆર પરીક્ષણ કરી રહ્યા છે. અમે તેમની સાથે સંપર્કમાં છીએ અને આરટી-પીસીઆર પરીક્ષણને વધારવા માટે કહીએ છીએ.
ICMR અનુસાર, 1 સપ્ટેમ્બરના રોજ 10,12,367 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન કુલ પરીક્ષણનો આંકડો 4,43,37,201 પર હતા. એ જ રીતે, 30 ઓગસ્ટે 10,16,920 નમૂનાઓ, 30 ઓગસ્ટના 8,46,278 નમૂનાઓ, 29 ઓગસ્ટના 10,55,027 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.