![#CoronaIndia/ દેશમાં કોરોનાનાં કેસ 44 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 95 હજારથી વધુ કેસ 3 4f0bcb6d0139d1862517e0fdb001c657 #CoronaIndia/ દેશમાં કોરોનાનાં કેસ 44 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 95 હજારથી વધુ કેસ](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/09/4f0bcb6d0139d1862517e0fdb001c657.jpg)
કોરોના વાયરસનાં ચેપ અંગેની સ્થિતિ ચિંતાજનક છે, આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 95,735 નવા કેસ નોંધાયા છે, ઉપરાંત 1,172 લોકોનાં મોત થયાં છે.
આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1172 દર્દીઓનાં મોત થયાં છે, જેમાં કુલ મૃત્યુઆંક 75,062 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા દૈનિક 1,00,000 વધી રહી છે જે ચિંતાજનક છે. કારણ કે વિશ્વનાં અન્ય કોઈ પણ દેશમાં આંક 1,00,000 કોરોના દર્દીઓને ઓળંગી શક્યો નથી અથવા તેની નજીક પણ આવ્યો નથી.
With highest single-day spike of 95,735 cases, India’s COVID-19 tally crosses 44-lakh mark
Read @ANI Story| https://t.co/lWVXT2UGHM pic.twitter.com/jSe4EiI8lb
— ANI Digital (@ani_digital) September 10, 2020
દેશમાં હવે પોઝિટિવ કેસની કુલ સંખ્યા 44,65,864 છે. જેમા 9,19,018 સક્રિય કેસ, 34,71,784 ઠીક થયેલા કેસ અને 75,૦62૨ મૃત્યુનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.