કોરોના મહામારીમાં 2 મહિનાની લોકડાઉન અને અનલોકના 4 મહિના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફિજીકલ સામાન્ય સભાનું 25 સપ્ટેમ્બરના રોજ પાલડી વિસ્તારના ટાગોર હોલમાં આયોજન થવાનું છે.
આ સભા પહેલાં, બધા 190 કોર્પોરેટરોનો કોરોના ટેસ્ટ કરવવામાં આવ્યો છે. બુધવારે, 50 સલાહકારો અને 12 સપોર્ટ સ્ટાફ સહિત 62 લોકોનું કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી એક વ્યક્તિનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ગુરુવારે અમદાવાદના મેયર બિજલ બેન પટેલ અને અન્ય કાઉન્સિલોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેનો રિપોર્ટ આજે મોડી રાત્રે આવશે.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા પાલિકા સેક્રેટરી દ્વારા તમામ કાઉન્સિલરોને એક પરિપત્ર મોકલવામાં આવ્યો હતો જેમાં 25 સપ્ટેમ્બરે પાલડી ટાગોર હોલ ખાતે ફિજીકલ સામાન્ય સભાનું યોજાશે તેવી માહિતી આપી હતી. તેથી, 23 અને 24 સપ્ટેમ્બરના રોજ આ સભામાં જોડાતા પહેલા તમામ કાઉન્સિલરો માટે કોરોનાનું પરીક્ષણ કરવું ફરજિયાત છે. જો કોઈ કાઉન્સિલર અથવા અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે, તો તેઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા આ મીટિંગમાં હાજરી આપી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.