રાજસ્થાનના બારાંમાં બે સગીર બહેનો સાથે બળાત્કારના કેસમાં અશોક ગેહલોત સરકાર સવાલોના ઘેરામાં છે. બંને બહેનો ત્રણ દિવસથી ઘરેથી ગાયબ હતી. પોલીસ પર આ મામલે ઢીલનો આરોપ લગાવવામાં આવ્યો છે. 19 સપ્ટેમ્બરના રોજ બારાં શહેરની બે સગીર બહેનો ઘરેથી ગુમ થઈ હતી, જે 22 સપ્ટેમ્બરના રોજ કોટાથી મળી હતી. નિવેદન નોંધ્યા બાદ આ સગીરાઓને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બંને સગીરાઓએ તેમના 164 નિવેદનોમાં કહ્યું હતું કે તેમની પર બળાત્કાર થયો નથી. આ બંનેના મેડિકલ ચેકઅપમાં પણ દુષ્કર્મની પુષ્ટિ થઈ નથી.
પીડિતોએ વ્યક્ત કર્યું સત્ય
આ કિસ્સામાં, નાની બહેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બે લોકો તેમને નાલકા સ્ટેશન લઈ ગયા હતા અને ત્યારબાદ સવારે આઠ વાગ્યે જયપુર લઈ ગયા હતા. પહેલા બે લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી, વધુ બે-ત્રણ લોકો આવ્યા, તેઓએ બળાત્કાર ગુજાર્યો. અમને નશો પીવડાવવામાં આવ્યો હતો. કોટા જયપુરથી પરત ફર્યા ત્યારે પિતાએ ફોન પર આખી વાત જણાવી. પોલીસને જ્યારે આ બાબતે કહેવામાં આવ્યું ત્યારે તેમને ધમકી આપવામાં આવી હતી કે તેઓ તેમને મારી નાખશે.
મોટી બહેને કહ્યું કે અમને બળજબરીથી ગઈ ગયા હતા. અમને એક રૂમમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે પણ અમે કંઇક લેવા જતાં ત્યારે માત્ર બે જ લોકો જતા. આ પછી અમને કંઈક આપવામાં આવ્યું. અમને હોશ નહોતો. આ બંને સિવાય વધુ લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. ધમકી આપી હતી કે જો કોઈને કહેવમાં આવશે તો તે પોતે જ મારી નાખશે. પીડિતાએ કહ્યું કે અમને ખબર નથી કે તે અમને ક્યાં લઈ ગયા હતા. હોટલોમાં લઈ જવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.