Politics/ CM રૂપાણીનું મોટું નિવેદન- વર્ષ 2022 સુધી મંત્રીમંડળમાં નહી થાય કોઇ ફેરફાર

વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણી માટે રાજકીયપક્ષે કવાયત હાથ ધરી છે. દરમિયાન ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સરકારમાં વિસ્તરણની કોઇ વાત નહીં હોવાનુ કરી વહેતી થયેલી રાજકીય અટકળો અને માધ્યમોમાં પણ વહેતી થયેલી વાતનો સંપૂર્મ છેદ ઉડાવી દીધો છે.

Top Stories Gujarat Others
2 158 CM રૂપાણીનું મોટું નિવેદન- વર્ષ 2022 સુધી મંત્રીમંડળમાં નહી થાય કોઇ ફેરફાર
  • ગુજરાતમાં મંત્રીમંડળમાં કોઇ ફેરફાર નહીં
  • મુખ્યમંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન
  • વર્ષ 2022 સુધી સરકારમાં ફેરફાર નહીં
  • સંગઠનમાં ખાલી સ્થાનો પર થઇ શકે નિયુક્તિ
  • 2022ની ચૂંટણીને ધ્યાનમાં લઇ શકે નિયુક્તિ
  • હાલ 23 સભ્યોનું સંખ્યાબળ ધરાવતું મંત્રીમંડળ

વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણી માટે રાજકીયપક્ષે કવાયત હાથ ધરી છે. દરમ્યાન ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારમાં વિસ્તરણની કોઇ વાત નહીં હોવાનુ કરી વહેતી થયેલી રાજકીય અટકળો અને માધ્યમોમાં પણ વહેતી થયેલી વાતનો સંપૂર્મ છેદ ઉડાવી દીધો છે.

મુલાકાત / અમિત શાહે દેશનાં તમામ નાગરિકોને વેક્સિન લેવાની કરી અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 જૂનને વિશ્વ યોગ દિન તરીકે જાહેર કર્યો છે. જેની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઇ રહી છે ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ પાટનગર ગાંધીનગરના સેક્ટર 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ રસી મહાઅભિયાનનો પ્રારંભ કર્યા બાદ વધુ ને વધુ લોકોને રસી લેવાનો અનુરોધ કર્યો હતો. દરમ્યાન ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે? એ અંગે પૂછાયેલાં પ્રશ્નનાં ઉત્તરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ જણાવ્યું કે સરકારમાં મંત્રીમંડળના ફેરફારની કોઇ જ વાત નથી. હજી તાજેતરમાં જ ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાત મુલાકાતે આવી ગયા, નેતાઓ સાથે મિટીંગનો દોર અને છેલ્લે ભાજપના ધારાસભ્યો સાથે પણ બેઠક  યોજી હતી. દરમિયાન ભાજપના આંતરિક વર્તુળ અને મીડિયાનાં માધ્યમમાં મંત્રીમંડળના વિસ્તરણની વાત વહેતી થઇ હતી. હાલ સરકારમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપરાંત 10 કેબિનેટ પ્રધાનો સામેલ છે. જ્યારે 11 રાજ્યકક્ષાના પ્રધો પણ સરકારમાં સામેલ છે. વિધાનસભાના સભ્યોની સંખ્યાની દ્રષ્ટિએ જોતાં રૂપાણી નેતૃત્વન સરકારમાં હજી 4 મંત્રીમંડળનાં સભ્યો સમાવી શકાય છે. પરંતુ હાલની રાજકીયસ્થિતિ જોતાં મંત્રીમંડળમાં કોઇ ફેરફારને અવકાશ નથી. દરમ્યાન ખુદ મુખ્યમંત્રીને આ અંગેનો સંકેત આપતા હવે વર્ષ 2022 સુધી રૂપાણી સરકારને કોઇ આંચ નહીં આવે એવી પ્રતિતિ થયા વિના રહેતી નથી. જો કે બીજીબાજુ સંગઠન અને ખાસ કરીને બોર્ડ-નિગમની ખાલી જગ્યા પર નિયુક્તિ આપી ભાજપના સંનિષ્ઠ કાર્યકરોને સંતોષ આપવાનો અભિગમ ભાજપ અપનાવે એવું લાગી રહ્યું છે.

કોવિડ જોખમ / સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ 38.6 લાખ લોકોનો લીધો ભોગ

રૂપણી નેતૃત્વની સરકારમાં વિસ્તરણના સમાયાર મંતવ્ય ન્યૂઝ સિવાયની તમામ ટીવી ચેનલ અને પ્રિન્ટ માધ્યમમાં પણ પ્રસારિત થયા હતા. પરંતુ મંતવ્ય ન્યૂઝ દ્વારા આ સમાચાર સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું હતું નહી. આજે વિનામૂલ્યે 18 થી 44 વયજૂથના બાળકોન રસીકરણ આપવાના અભિયાનનો પારંભ થયો છે ત્યારે રસીકરણ અભિયાન પ્રારંભ બાદ પત્રકારે પૂછલાં પ્રશ્નાના જવાબમાં મુખ્યમંત્રીએ મંત્રીમંડળ વિસ્તરણનો સંપૂર્ણ છદ ઉડાવી દીધો છે, ત્યારે હવે વર્ષ 2022 સુધી મુખ્ય્પ્રધાન રૂપાણીના નેતૃત્વની સરકાર આગળ વધશે તે પ્રતિતિ મુખ્યમંત્રીનાં જવાબ પરથી ફલિત થાય છે. જો કે સંગઠનના માળખામાં ફેરફાર આવી શકે.. જો કે રાજકારણમાં ગમે ત્યારે ગમે તે પરિવર્તન આવી શકે છે. પરંતુ મુખ્યમંત્રીએ કરેલી વાત પરથી ગુજરાત સરકારમાં કોઇ ગતિવિધિની શક્યતા નથી. ત્યારે હવે સંગઠનન માળખામાં કેવા ફેરફાર થશે કે કેમ , થાય તો કેવા ફેરફાર થશે..  તેના પર સૌની નજર  રહેશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવવ્ય ન્યૂઝ સાથે….

kalmukho str 9 CM રૂપાણીનું મોટું નિવેદન- વર્ષ 2022 સુધી મંત્રીમંડળમાં નહી થાય કોઇ ફેરફાર