દહેગામ
બેટી બચાવો. બેટી પઢાવો. અભિયાન વચ્ચે સભ્ય સમાજનું માથુ શરમથી ઝૂકી જાય તેવી ઘટના સામે આવી છે. ગાંધીનગરના દહેગામમાં પાંચ દીકરી બાદ છઠ્ઠીવાર દીકરી જન્મતા હેવાન પિતાએ દીકરીની નિર્મમ હત્યા કરી હતી.
પિતાએ યમદૂત બનીને તાજી જન્મેલી બાળકીને નિર્મમતાપૂર્વક છરીના ઘા માર્યા હતા. આ હેવાન પિતાએ માત્ર 4 દિવસની જન્મેલી બાળકીને છરીના ઘા મારી હત્યા કરી હતી. ત્યારે એમ્બ્યુલન્સ દ્વારા બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પણ સારવાર દરમિયાન રાત્રે જ તેણે દમ તોડી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે અમરાપુર ખરણાનાં વિષ્ણુસિંહ રાઠોડના ઘરે લગ્ન જીવન દરમિયાન પાંચ દીકરીનો જન્મ થયો હતો. પોતાનો વંશવેલો આગળ વધે તે માટે વિષ્ણુ રાઠોડ દીકરાની ઈચ્છા રાખતો હતો. તેમની સગર્ભા પત્નીએ ચાર દિવસ પહેલા જ સુંદર બાળકીને જન્મ આપ્યો હતો.