Bharuch news/ ભરૂચમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના આપઘાતથી ખળભળાટ

પત્ની અને પુત્રની હત્યા કરી પતિએ કરી આત્મહત્યા

Top Stories Gujarat
Beginners guide to 2024 07 04T151941.673 ભરૂચમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના આપઘાતથી ખળભળાટ

Bharuch News : ભરૂચમાં સામૂહિક આત્મહત્યાના બનાવે ખળભળાટ મચાવ્યો છે. ભરૂચમાં એક જ પરિવારના 3 સભ્યોએ આપઘાત કરી લેતા શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જેમાં એક વ્યક્તિએ તેની પત્ની અને પુત્રની હત્યા કરી નાંખી હતી. બાદમાં પોતે પણ આત્મહત્યા કરીને જીવન ટુંકાવી લીધું હતું.

જેમાં પત્નીનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતોય જ્યારે તેમના 10 વર્ષના બાળક વિહાનનો મૃતદેહ બેડ પરથી મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ સાથે રેલવે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. બાદમાં તપાસ હાથ ધરી હતી. જોકે  પરિવારે આ પગલું શા માટે ભર્યું તે અંગે હજી સુધી કંઈ જાણવા મળ્યું નથી. પોલીસે ત્રણેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે. તપાસ બાદ આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ પોલીસ કમિશનરની મનમાની, મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ

આ પણ વાંચો: અમદાવાદમાં રાજપથ રોડ પરના કેફેના ફૂડમાંથી નીકળી જીવાત

આ પણ વાંચો: ગુજરાત સરકારનો આદેશ, તમામ સરકારી કર્મીઓએ સંપત્તિ જાહેર કરવી પડશે