ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રખડકા ઢોરને લઈને 17 કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા 15 દિવસમાં રખડતા ઢોર ના માલિકો પર પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે.
શહેરમાં રખડતા ઢોરને લઈને લોકો પરેશાન છે ત્યારે છાસવારે રખડતા ઢોરને કારણે એકસીડન્ટ થતા હોવાથી ભાવનગર મહાનગરપાલિકા કમિશનર એન.વી. ઉપાધ્યાય વહેલી સવારથી જ રખડતા ઢોરને પકડવા માટે ઢોર નિયંત્રણ કાયદા હેઠળ અધિકારી સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં દ્રઈવ યોજી રહ્યા છે ત્યારે રખડતા ઢોરને રોડ પર ખુલ્લા મુકનારા માલિક વિરુદ્ધમાં મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે.
શહેરમાં છેલ્લા 15 દિવસમાં ભાવનગર મહાનગર પાલિકાએ 500 થી વધારે ઢોરોને પાંજરે પૂર્યા છે અને રસ્તે કરતા માલિકીના ઢોર પર ટેગ લગાયેલા હોય છે આ ટેગ સ્કેનિંગ કરીને મહાનગરપાલિકા દ્વારા ઢોર માલિકો વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:થિયેટર માલિકોને ‘પઠાણ’ રિલીઝ નહીં કરવાની ધમકી, અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે શખ્સની કરી ધરપકડ કરી
આ પણ વાંચો:અમદાવાદમાં રોડ શો પહેલા રોકાણકારોએ સીએમ યોગીની ટીમ સાથે કરી વન ટુ વન બેઠક
આ પણ વાંચો:ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈને મોટી રાહત, SCએ ધરપકડ પર લગાવી રોક
આ પણ વાંચો:શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાજ્યના વધુ સાત જિલ્લાઓમાં ભોજન કેન્દ્ર શરૂ કરવામાં આવશે