બનાસકાંઠા/ દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વિરુદ્ધ લોકાયુક્તમાં ફરિયાદ

નોકરી મેળવવા માટે પણ તેમણે ગુજરાત બીજ નિગમનું બનાવટી પ્રમાણપત્ર બનાવી 15 વર્ષ બાદ રજુ કર્યું હતું. તે પણ ખોટું સાબીત થયું છે. તેમજ ઉદયપુરની પીએચડીની ડીગ્રી પણ શંકાસ્પદ છે. 

Gujarat Others
કૌભાંડી વૈજ્ઞાનિકને કુલપતિ

બનાસકાંઠામાં વિવાદોથી ઘેરાયેલી દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સર્જાયો છે. અનેક ખાતાકીય તપાસ અને ભ્રષ્ટાચારમાં ખદબદતા કૌભાંડી વૈજ્ઞાનિકને કુલપતિ તરીકે નિમણૂક આપતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. વારંવાર રજૂઆત બાદ પણ આ અંગે કાર્યવાહી ન થતાં હવે લોકોએ લોકાયુક્તમાં ફરિયાદ કરી છે.

ભારત દેશ એ કૃષિપ્રધાન દેશ છે અને મોટાભાગના લોકો ખેતી સાથે સીધી યા આડકતરી રીતે સંકળાયેલા છે જેના કારણે ગુજરાત સરકારે ખેડૂતોના હિતની રક્ષા થાય, ખેડૂતને મુંઝવતા પ્રશ્નો,સમસ્યાઓનુ નિરાકરણ આવે, કૃષિલક્ષી નવા સંશોધન થાય અને એ સંશોધન થકી ખેડૂતો વધુ ઉત્પાદન મેળવતા થાય તે માટે સરકાર દ્વારા કૃષિ યુનિવર્સિટી રચના કરવામાં આવી છે. પરંતુ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટી હવે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે અને આ બાબતે સરકાર પણ આંખ આડા કાન કરી રહી છે.

તાજેતરમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો રવિન્દ્રસિંહ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે. જે નિમણૂક ને લઇ વધુ એક વિવાદ શરૂ થઇ ગયો છે. આમતો પોતાના ક્ષેત્રમાં હોશિયાર અને ઇમાનદાર લોકોને બઢતી આપવાનો સરકારી નિયમ છે પરંતુ અહીં તમામ નિયમોને અને કાયદાને નેવે મૂકી ગુજરાત સરકારે કૌભાંડી વૈજ્ઞાનિક ને ડો. રવીન્દ્રસિંહ ચૌહાણ ની કુલપતિ તરીકે નિમણૂક કરી દીધી છે. ડોક્ટર રવીન્દ્રસિંહ ચૌહાણ સામે અનેક ખાતાકીય તપાસ ચાલે છે. જેમાં હમણાં યુનિવર્સિટી ખાતે યોજાયેલ વર્ગ 3 ની પરીક્ષામાં ગેરરીતિ આચરી સેટિંગ વાળા વિધાર્થીઓને પાસ કર્યા હોવાની ફરિયાદ થઈ છે. નોકરી મેળવવા માટે પણ તેમણે ગુજરાત બીજ નિગમનું બનાવટી પ્રમાણપત્ર બનાવી 15 વર્ષ બાદ રજુ કર્યું હતું. તે પણ ખોટું સાબીત થયું છે. તેમજ ઉદયપુરની પીએચડીની ડીગ્રી પણ શંકાસ્પદ છે.  આ સિવાય GTH-1 તુવેર સંશોધન ફેલ ગયું હતું.  તેમાં પણ તેમની સામે ખાતાકીય તપાસ ચાલતી હતી.  2013-14 માં પણ ભરતી કૌભાંડ આચર્યું હતું તે સમયે પણ ભરતી કૌભાંડમાં અત્યાર ના કુલપતિ ડો. રવીન્દ્રસિંહ નું નામ જોડાયેલું છે. અને તેમાં પણ ભોગ બનનાર વાસુદેવ સિંધવ નામના વિદ્યાર્થીએ તેમની સામે ફરિયાદ કરી હતી. આ સિવાય તેની સામે અનેક ખાતાકીય તપાસ ચાલી રહી છે. તેમ છતાં પણ સરકારે તેમની ખોટી રીતે કુલપતિ તરીકે નિમણૂક આપતાં હવે લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે.

પશ્ચિમ બંગાળ પેટા ચૂંટણી / TMC એ પશ્ચિમ બંગાળમાં ત્રણ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી, જાણો CM મમતા બેનર્જી ક્યાંથી ચૂંટણી લડશે

પેરાલિમ્પિક / ટોક્યોમાં રંગારંગ કાર્યક્રમ સાથે પેરાલિમ્પિકનું ભવ્ય સમાપન,ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન

આ ડોક્ટર રવિન્દ્રસિંહ ચૌહાણના કાર્યકાળ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને ખેડૂતો તેના ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે તેમના વિરુદ્ધ અનેક લોકોએ તેમજ કર્મચારીએ પણ લોકાયુક્તમાં ફરિયાદ કરી છે અને ખાતાકીય તપાસ પણ ચાલી રહી છે તેમ છતાં પણ સરકારે આ તમામ બાબતોને અવગણીને તેમને શા માટે કુલપતિ બનાવ્યા હશે તે પણ એક સવાલ થાય છે. કારણ કે જ્યારે કુલપતિની નિમણૂક કરવાની હતી ત્યારે લિસ્ટમાં ત્રણ વ્યક્તિઓના નામ હતા અને બાકીના બે લોકો સામે એક પણ ફરિયાદ ન હોવા છતાં પણ શા માટે આ ભ્રષ્ટાચારીને કૃષિ યુનિવર્સિટીના કુલપતિ બનાવ્યા હશે તે મામલે પણ તટસ્થ તપાસ થાય તેવી અરજદાર ની માંગ છે.

આવા ભ્રષ્ટાચારી સમયે કડક કાર્યવાહી કરવી જોઈએ 

મહત્વની વાત એ છે કે તુવેર સંશોધનમાં અને 2013-14 ની પરીક્ષા ગેરરીતિ મામલે કુલપતિ ડો. રવીન્દ્રસિંહ ચૌહાણ સામે જે તપાસ ચાલતી હતી. તે આ બંને કેસમાં ચાર્જશીટ રજૂ કરી દેવાઈ છે.  વળી આ તમામ બાબતો સરકાર જાણતી હોવા છતાં પણ તેમની કુલપતિ તરીકે નિમણૂક કરી દેતા આ કેસમાં સરકારની પણ મેલી મુરાદ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એક વૈજ્ઞાનિક તરીકે ડોક્ટર રવીન્દ્રસિંહ ચૌહાણ જ્યારે આટલા કૌભાંડ આચરી શકતા હોય તો પછી હવે કુલપતિ બન્યા પછી કૌભાંડોની હારમાળા સર્જી દેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

બનાસકાંઠા માં આવેલી સરદાર કૃષિ નગર યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે ગુજરાતી અને બનાસકાંઠાના બને તે માટે સ્થાનિક સાંસદના પ્રયાસો રહ્યા હતા. અને ખેડૂતોની પણ માંગ હતી. પંરતુ કેટલાક નેતાઓ અને પ્રદેશ માં દબદબો ધરાવતા નેતાઓ એ કુલપતિ તરીકે ડો રવીન્દ્ર ચૌહાણ ની નિમણૂક કરવા દબાણ કરતા આખરે વિવાદિત ડો રવીન્દ્ર ચૌહાણ ને લઈને હવે વિવાદો સાથે જિલ્લાના ખેડૂતો માં રોષ જોવા મળ્યો છે.

શાળા શરુ કરવાનો નિર્ણય યોગ્ય ?  / શાળાએ જતા 2 વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત, વાલીગણમાં ચિંતા

ટીમ ઇન્ડિયા માં ફરી કોરોના સંક્રમણ / ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી કોરોના સંક્રમિત થયા