કોંગ્રેસને આકબાદ એક ઝટકા મળી રહ્યા છે.ત્યારે આજે ફરી કોંગ્રેસ માટે માંઠા સમાચાર આવ્યા હતા. તેલંગણાનાં 12 કોંગ્રેસી ધારાસભ્ય KCRની પાર્ટી TRSમાં જોડય જતા કોંગ્રેસને વધુ એક મરણતોલ ફટકો પડ્યો છે. કોંગ્રેસનાં 12 ધારાસભ્ય TRSમાં આવી જતા વિધાનસભાનાં અધ્યક્ષને કોંગ્રેસનું TRSમાં વિલીનકરણ કરી દેવાની વિનંતી પણ કરી દેવામાં આવી છે.
12 કોંગ્રેસી ધારાસભ્યો દ્રારા તેલંગણાનાં સ્પીકર પી. શ્રીનિવાસ રેડ્ડીની મુલાકાત લેવાની સાથે સાથે કોંગ્રેસને TRSમાં મર્જર કરી દેવાની વિનંતી કરવામાં આવી છે. તેલંગણાની 119 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસનાં હાલ 18 ધારાસભ્યો છે. કોંગ્રેસનાં તેલંગણા પ્રદેશ પ્રમુખ ઉત્તમ કુમાર રેડ્ડી હાલમાં જ નાલગોંડા લોકસભા બેઠક પરથી જીતી જતા ધારાસભ્ય પદ્દેથી રાજીનામું આપ્યું હતું.