કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીનું લોકસભામાંથી સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે. લોકસભાની વિશેષાધિકાર સમિતિએ ચૌધરીના સસ્પેન્શનને રદ કર્યું છે. આ પહેલા બુધવારે (30 ઓગસ્ટ) વિશેષાધિકાર સમિતિએ અધીર રંજન ચૌધરીના સસ્પેન્શનને રદ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીને સંસદના ચોમાસુ સત્ર દરમિયાન તેમની કેટલીક ટિપ્પણીઓને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અધીર રંજન ચૌધરીએ આશા વ્યક્ત કરી હતી કે તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે અધ્યક્ષે તેમને તેમનો પક્ષ રજૂ કરવાની તક આપી હતી. તેમણે કહ્યું હતું કે, “મને લાગે છે કે સમિતિ મારું સસ્પેન્શન પાછું લેવાનું વિચારી રહી છે.”