લોકસભામાં કારમા સકાર બાદ કોંગ્રેસ લાંબા સમય બાદ હરકતમાં જોવામાં આવી રહી છે. અને કોંગ્રેસ આળસ મરડી ઉંભી થઇ ગઇ છે. કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે સ્ક્રિનિંગ કમિટીની રચના પણ કરી નાંખી છે અને ચૂંટણી માટેની આ સ્ક્રિનિંગ કમિટીમાં અધ્યક્ષ તરીકે જ્યોતિરાદિત્ય સિંધિયાની નિમણૂક કરવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસનાં આક્રામક યુવા નેતા છે અને રાહુલ ગાંધી અને ગાંધી પરિવારથી ખુબ નજીક અને વિશ્વાસુ હોવાનું માનવામાં આવે છે. લોકસભામાં જ્યોતિરાદિત્ય સિંધિયાને પોતાની પંરપરાગત સીટ પરથી પહેલી હારનો સામનો કરવો પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.