મુલાકાત/ પ્રાઇવેટ દવાખાનાઓમાં ટ્રીટમેન્ટ અને દવાના ભાવોનું નિયંત્રણ કરો, ગૃહરાજ્યમંત્રી જાડેજાનો ગોધરા કલેકટરને અનુરોધ

મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી અને પંચમહાલ જિલ્લાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા આજ રોજ ગોધરાની મુલાકાત લીધી હતી અને જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી

Top Stories Gujarat
rahul bhavsar 1 પ્રાઇવેટ દવાખાનાઓમાં ટ્રીટમેન્ટ અને દવાના ભાવોનું નિયંત્રણ કરો, ગૃહરાજ્યમંત્રી જાડેજાનો ગોધરા કલેકટરને અનુરોધ

રાહુલ ભાવસાર@ મંતવ્ય ન્યૂઝ,ગોધરા

મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી અને પંચમહાલ જિલ્લાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા આજ રોજ ગોધરાની મુલાકાત લીધી હતી અને જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.સમગ્ર રાજ્યમાં મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો તા.૧ મેં થી રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. પંચમહાલ જિલ્લા પ્રભારી અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા મંગળવારના રોજ પંચમહાલ જિલ્લાના ગોધરાની મુલાકાત લીધી હતી.ગૃહ રાજ્ય મંત્રીએ ગોધરા ખાતે આવી રાજકીય સભ્યો,પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ ગોધરા શહેર ની કોવિડ હોસ્પિટલ ની મુલાકાત લઈ હોસ્પિટલ વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી.મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને સફળ બનાવવા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત,નગર પાલિકા ના પ્રમુખો તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો અને સરપંચો સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

rahul bhavsar 2 પ્રાઇવેટ દવાખાનાઓમાં ટ્રીટમેન્ટ અને દવાના ભાવોનું નિયંત્રણ કરો, ગૃહરાજ્યમંત્રી જાડેજાનો ગોધરા કલેકટરને અનુરોધ

જિલ્લામાં કોવિડ-૧૯ ના દર્દીઓ ની હાલતની સ્થિતિ,મરણ પામેલા દર્દીઓના ડેડબોડીના નિકાલની વ્યવસ્થા, જિલ્લામાં સ્મશાન અને કબ્રસ્તાનની પરિસ્થિતિની ચર્ચા,આરોગ્ય કેન્દ્રોમાં વેલટ્રેન્ડ સ્ટાફ અને ગ્રામ્ય કક્ષામાં રસીકરણ સંપૂર્ણ થાય તેના પર ભાર મુક્યો હતો.ત્યારે આ મુલાકાત દરમિયાન રાજ્યના ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સંક્રમણ ઘટે અને સંક્રમિત થયેલાઓની સારવાર ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.૧૫મી માર્ચના રોજ રાજ્યમાં ૩૧૦૦૦ જેટલા બેડ ની ઉપલબ્ધતા હતી. જે વધારીને આજે ૧ લાખ વધુ અદ્યતન તબીબી સુવિધા સાથેની બેડની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.આજે ૧૫૦ મેટ્રિક ટન જેટલો ઓક્સિજન રાજ્યની જનતા માટે ઉપલબ્ધ છે.આયુર્વેદિક અને હોમીઓપેથીક દવાઓ પર પણ ભાર મુક્યો હતો.

જિલ્લાના દરેક દવાખાનાઓમાં બેડની પરિસ્થિતિની જાણકારી માટે કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબરની જાણકારી મળી રહે તે જોવા જણાવ્યું હતું.સિવિલ હોસ્પિટલમાં તથા અન્ય સ્થળે સીટી સ્કેન મશીનો,રેડીઓલોજિસ્ટ,પ્રાઇવેટ દવાખાનાઓમાં ટ્રીટમેન્ટ અને દવાના ભાવોનું નિયંત્રણ કરવા જણાવ્યું હતું.ત્યારે જિલ્લાના કલેકટરને અનુરોધ કર્યો હતો કે, દવાઓના કાળાબજારની તપાસ અને દર્દીઓ ડુપ્લીકેટ દવાઓના કારણે પરેશાન ન થાય તે જોવું.વેકસીન જેટલું વધશે તેટલું જ સંક્રમણ ઘટશે.આવશ્યકતા મુજબની તમામ જરૂરિયાતોનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે.કોવિડ-૧૯ ના નિયમોનું ચુસ્ત પાલન કરી કોરોનાને હરાવવાની હાકલ કરી હતી.ગૃહરાજ્યમંત્રીએ ગોધરા નર્સિંગસ્કૂલ અને ગોવિંદી ખાતે આવેલા કોવિડકેર સેન્ટરની મુલાકાત લીધી હતી.

sago str 2 પ્રાઇવેટ દવાખાનાઓમાં ટ્રીટમેન્ટ અને દવાના ભાવોનું નિયંત્રણ કરો, ગૃહરાજ્યમંત્રી જાડેજાનો ગોધરા કલેકટરને અનુરોધ