Not Set/ રાજ્યમાં કોરોના “અબ તક 56”, શુકવારનો મૃત્યુઆંક 1 નોંધાયો

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત ઘટી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં માત્ર 56 નવા કોરોના કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,23,600પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક વ્યક્તિના મોત થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 196 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 812718 […]

Gujarat
corona pic 1 રાજ્યમાં કોરોના "અબ તક 56", શુકવારનો મૃત્યુઆંક 1 નોંધાયો

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત ઘટી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં માત્ર 56 નવા કોરોના કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,23,600પહોંચ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક વ્યક્તિના મોત થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 196 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 812718 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1356  છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે. જો કે રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત બનાવવામાં આવી છે તેની સમય મર્યાદા હવે 10 જુલાઈ 2021 સુધી લંબાવવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.