@સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ – સુરત
સુરત શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને નવા શરૂ થતાં સત્ર તેમજ એડમિશનમાં સ્કૂલ ફી માં 100 ટકા માફી કરવાની માંગણી કરવામાં આવી હતી.
ક્રાઈમ: બોગસ બિલીંગ કૌભાંડ અને 12.31 લાખનાં વિશ્વાસઘાતમાં સંડોવાયેલા આરોપીને પોલીસે દબોચ્યો
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં કોરોનાવાયરસની બીજી લહેરને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. અને લોકડાઉનને કારણે સુરતમાં પણ ઘણી ખરાબ અસર થઈ છે. તેના કારણે શહેરનાં તમામ કામ ધંધા અને રોજગાર બંધ છે અને ગરીબ લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. એકટાણું ભોજન મેળવવામાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે. લોકોને પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે. તેવી પરિસ્થિતિમાં હાલમાં નવા વર્ષમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ શરૂ થઈ ગયો છે. શાળાનાં સંચાલકો દ્વારા ગરીબ તેમજ મધ્યમ વર્ગીય લોકો પાસે તેમના બાળકોનો અભ્યાસ તેમજ નવા પ્રવેશ માટે તાત્કાલિક અસરથી સ્કૂલ ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. માનવતા ન બચી હોય તેવી રીતે વાલીઓ સાથે વર્તન કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં સ્કૂલ ફી ના ભરે તો બાળકનું વાર્ષિક પરીક્ષાનું રિઝલ્ટ નહિ આપવા જેવી ધમકીઓ પણ આપવામાં આવી રહી છે.
સામુહિક મોતની છલાંગ: ચાણસ્મા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ઘટી મોટી દુર્ઘટના, માતા-પુત્રીએ ભાણી સાથે કેનાલમાં ઝંપલાવ્યું
આવેદનપત્ર દ્વારા એ માંગણી કરવામાં આવી હતી કે, આ વર્ષની નવા વર્ષની પ્રવેશ ફી તેમજ શાળામાં વિદ્યાર્થીઓ જે વર્ગમાં ભણતા હતા તે વિદ્યાર્થીઓનું વાર્ષિક પરીક્ષાનું રિઝલ્ટ વાલીઓને આપવામાં આવે અને ઉપલા વર્ગમાં અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવે. જેથી વાલીઓનું ભારણ ઓછું થાય અને વિદ્યાર્થીઓ માનસિક રીતે સ્વસ્થ રહીને આગળ અભ્યાસ કરી શકે.