chandrayaan3/ સૂર્યાસ્તના સમયે આજે ભારતમાં સોનાનો સૂરજ ઉગ્યો છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ચંદ્રયાન-૩ મહામિશનની ઐતિહાસિક સફળતા બદલ પ્રસન્નતા અને ગૌરવની લાગણી અનુભવતા રાજ્યપાલ આચાર્ય દેવ્રતજીએ કહ્યું કે, આજે ૨૩મી ઓગસ્ટ,૨૦૨૩ ના સૂર્યાસ્તના સમયે ભારતમાં સોનાનો સૂરજ ઉગ્યો છે

Top Stories Gujarat
6 1 13 સૂર્યાસ્તના સમયે આજે ભારતમાં સોનાનો સૂરજ ઉગ્યો છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ચંદ્રયાન-૩ મહામિશનની ઐતિહાસિક સફળતા બદલ પ્રસન્નતા અને ગૌરવની લાગણી અનુભવતા રાજ્યપાલ આચાર્ય દેવ્રતજીએ કહ્યું કે, આજે ૨૩મી ઓગસ્ટ,૨૦૨૩ ના સૂર્યાસ્તના સમયે ભારતમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. યશસ્વી પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારતના વૈજ્ઞાનિકોએ ભારતને વિશ્વ સ્તર પર અભૂતપૂર્વ સન્માન અને ગૌરવ અપાવ્યું છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજીએ આ ઐતિહાસિક ક્ષણે મીઠું મોઢું કરાવીને પરસ્પર વધામણી આપી હતી.

ભારતીય ક્ષિતિજ પર સૂર્ય આથમી રહ્યો હતો ત્યારે ચંદ્રયાન-૩ મહામિશનની ઐતિહાસિક સફળતા સાથે લેન્ડરે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઉતરાયણ કરીને ભારતે ઇતિહાસ રચ્યો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં આ રોમાંચક પળોનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.