Not Set/ દ્વારકામાં લોખંડની ધગધગતી સાંકળના ઘા મારી મહિલાને ઉતારી મોતને ઘાટ

અંધશ્રધ્ધામાં મહિલા હોમાઈ જતા અરેરાટી મચી જવા પામી છે. ખંડેર જેવા મંદિરમાં વિધિમાં મહિલાને મેલું હોઈ એવું જણાવી મેલું કાઢવા ઢોર માર મારવામાં..

Gujarat Others
a 254 દ્વારકામાં લોખંડની ધગધગતી સાંકળના ઘા મારી મહિલાને ઉતારી મોતને ઘાટ

આજના ટેક્નોલોજીના સમયમાં પણ લોકો અંધશ્રદ્ધામાં માને છે. તમે ઘણા કિસ્સા જોયા હશે કે અંધશ્રદ્ધાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. દ્વારકાના ઓખા મઢીમાં જય એક મહિલાને લોખંડની ગરમ સાંકળના ઘા મારીને મોતને ઘાટ ઉતાર દેવામાં આવી છે.

આ પણ વાંચો :ગુજરાત સરકારના મંત્રીમંડળ બાદ અંગત સ્ટાફમાં પણ નો રિપીટ ફોર્મુલા

મળતી માહિતી અનુસાર,ઓખામંડળના મીઠાપુરમાં આવેલા આરંભડામાં રહેતા વાલાભાઈ મકાભાઈ સોલંકી નામના યુવકની 25 વર્ષની પત્ની રમીલાબેન વાલાભાઈ સોલંકી ઓખા મઢીમાં દ્વારકા હાઈવે પર આવેલા મેલડી મંદિરમાં ગયા હતા. નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને તેઓ અહીં દર્શન કરવા માટે ગયા હતા. આ સમયે તેઓ ધૂણવા લાગ્યા હતા. ત્યારે રમીલાબેનને વળગણની વાત કરીને લોખંડને ગરમ કરી માર મારવામાં આવ્યો હતો. શરીરે ગળાના ભાગે પગના ભાગે મહિલાને મારિયો સાથે જ શરીરના કેટલાક ભાગોમાં ડામ દેવામાં આવ્યા હતા.

a 251 દ્વારકામાં લોખંડની ધગધગતી સાંકળના ઘા મારી મહિલાને ઉતારી મોતને ઘાટ

અંધશ્રધ્ધામાં એક મહિલા હોમાઈ જતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. ખંડેર જેવા મંદિરમાં વિધિમાં મહિલાને મેલું હોઈ એવું જણાવી મેલું કાઢવા ઢોર માર મારવામાં આવતા મહિલાનું મોત થયું હતું. ભુવાઓએ મહિલાને મસાણની મેલડી આવી કરીને માર માર્યો હતો. આમ,વળગાડ અને મેલું તો નીકળતા નિકળ્યું, એ પહેલા મહિલાનો જીવ નીકળી ગયો.

a 252 દ્વારકામાં લોખંડની ધગધગતી સાંકળના ઘા મારી મહિલાને ઉતારી મોતને ઘાટ

આ પણ વાંચો : રાજ્યના યુવા વર્ગો માટે મહત્વનો નિર્ણય,સરકારી નોકરીઓમાં ભરતી માટેની વય મર્યાદામાં એક વર્ષની છુટછાટ

આ બનાવ બનતા અહીંના ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી. આ બનાવ અંગે મૃતક મહિલાના પતિની ફરિયાદ પરથી મૃતક મહિલાના સંબંધી એવા પાંચ શખ્સો સામે આઇ.પી.સી. કલમ 302, 34 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી દ્વારકાના પી.આઈ. પી.બી. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર બનાવે ભારે ચકચાર જગાવી છે.

આ પણ વાંચો : આ છે ગુજરાતનું અનોખુ ગરબા મંદિર, જ્યાં નવરાત્રિમાં થાય છે માતાની વિશેષ આરાધના

આ પણ વાંચો :સચિન વિસ્તારમાં ઘરની બહાર રમી રહેલી બાળકીને ઉઠાવી જઈ હવસખોરે આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો :સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં સર્જાયો ભૂંકપ, એક સાથે 100 કાર્યકર્તાઓએ આપ્યા રાજીનામાં