Not Set/ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો ,છેલ્લા 24 કલાકમાં નવા 10 કેસ નોંધાયા

ડિસ્ચાર્જ થયેલા કોરોનાના દર્દીઓની સંખ્યા 14  પર પહોંચ્યો છે જ્યારે રાજ્યમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 8,15,154 નોંધાઇ છે

Top Stories
corona12345 રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો ,છેલ્લા 24 કલાકમાં નવા 10 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના નવા સંક્રમણના કેસો તળીયે જોવા મળી રહ્યા છે રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થતો હોવાથી સામાન્ય જીવન ફરીવાર ધબકતું થયું છે અને વેપાર,ધંધા અને ઉધોગો ફરી સક્રીય થયા છે.રાજ્યમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં જોવા મળે છે,આરોગ્ય વિભાગના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં કોરોનાની સ્થિતિ સામાન્ય છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના 10 કેસો નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબુમાં છે અને હાલમાં કોરોનાની બીજી લહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોના સંક્રમમના કેસો 10 નોંધાયા છે.કોરોનાના કુલ કેસનો આંકડો 8,24,887 નોંધાયો છે ,જ્યાકે આજે કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયો નથી .કોરોનાનેમાત આપીને સાજાથયેલા દર્દીઓની સંખ્ય પણ વધી રહી છે. ડિસ્ચાર્જ થયેલા કોરોનાના દર્દીઓની સંખ્યા 14  પર પહોંચ્યો છે જ્યારે રાજ્યમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 8,15,154 નોંધાઇ છે. રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 151 છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની સ્થિતિ હાલ રાજ્યમાં સામાન્ય છે ,સરકાર વેક્સિનેશ પર ભાર મુકી રહી છે અને વેક્સિન અભિયાન મોટાપાયે ચલાવી રહી છે.કોરોના સંક્રમમના કસો ઘટ્યા હોવાથી હવે સરકારે શાળાઓ ખાેલવાની તારીખ પણ જાહેર કરી છે આ ઉપરાંત જાહેર સ્થળો પણ ખોલવામાં આવ્યા છે.