કોરોના મહામારી સામે બચવા માટે સરકારે લોકડાઉન જાહેર કર્યું. લોકડાઉન બાદ અનલોક. પરંતુ આ મહામારીમાં મધ્યમવર્ગીય પરિવારોના બજેટ ખોરવાઈ ગયા છે. તો કેટલાક લોકો બેરાજોગર બની ગયા.
- કોરોના મહામારીનો માર
- તો કેટલાકની છિનવાઈ રોજગારી
- મહામારીમાં મુકાયા પગારમાં કાપ
કોરોના મહામારીએ અનેક લોકોના જીવ લીધા છે. તો કેટલાક પરિવાર લોકડાઉનના કારણે વગર મોતે મર્યા છે. લોકડાઉનના કારણે વધતી જતી મોંઘવારીને લીધી મધ્યમવર્ગીય પરિવારને કમર તોડી નાખી છે. તો ગરીબ પરિવારને બે ટાઈમ જમવાના પણ સાસા થઈ ગયા. શાકભાજી, કરિયાણા, અને ટ્રાન્સપોર્ટની કિંમતોમાં દેશભરમાં પરિવારો કાળઝાળ મોંઘવારીનો સામનો કરી રહ્યાં છે.
બેરોજગારી, પગારમાં કાપ અને આવક ગુમાવવાની કારણે પણ પરિવારો મોંઘવારી સામે ઝઝૂમી રહ્યાં છે. કોરોના મહામારીના કારણે દેશભરમાં લાગુ કરેલા લોકડાઉનની અસર હજુ કેટલાક સેક્ટરો પર વર્તાઈ રહી છે. લોકડાનના કારણે છુટક મજુરી કામ કરતા પરિવારને રહેવા અને જમવાના સાસા થઈ જતા વગર કોરોનાએ મરવા જેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. હજી તો જાણે ગાડી માંડ માંડ પાટા પર આવી હતી ત્યા ફરી એકવાર કોરોનાની બીજી વોર શરૂ થઈ ગઈ છે.
પેટ્રોલ-ડિઝલની માઝા મુકી રહેલી કિંમતોએ પરિવારોની તકલીફોમાં વધારો કર્યો છે. કોમોડિટીઝની કિંમતોમાં થઈ રહેલા વધારાના કારણે પરિવારોને તેમના ખર્ચ માં કાપ મુકવાની ફરજ પડી રહી છે. લોકડાઉનના કારણે ઘરોમાં રહેવાથી ખાધપદાર્થોનો વપરાશ પણ વધી ગયો છે. તેથી હવે પરિવારો કેટલાંક ખર્ચ પર કાપ મુકવાનો નિર્ણય કરી રહ્યાં છે.