Corona Update/ રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 394 કેસ નોંધાયા

ગુજરાતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 694 ને પાર થઇ છે,કુલ કોરોનાના કેસની સંખ્યા 8,29,467છે અને રાજ્યમાં કોરોનાને માત આપીને સાજા થનાર કુલ દર્દીઓની સંખ્યા 8,18,422 થઇ છે.

Top Stories Gujarat
Untitled 85 10 રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 394 કેસ નોંધાયા

સમગ્ર વિશ્વમાં કોરોનનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી જેમાં  લાખો લોકો મૃત્યુ  પામ્યા હતા. ત્યારે સરકાર દ્વારા કેસોને નિયંત્રણમાં લાવવા  રસીકરણ હાથ ધરવામાં આવ્યું  છે . જેમાં  આ લોકોએ વેક્સિન લઈને સુરક્ષિત થયા હતા. ત્યારે હવે એવો જ એક નવો રોગ  આવી રહ્યો છે . જેમાં વિશ્વમાં ઓમિક્રોનની એન્ટ્રીના તમામ દેશો કોરોના મામલે એલર્ટ થઇ ગયા છે,તેમજ દિવાળી પછી લોકોની બેદ્ર્કારીના  ના લીધે  કેસો માં સતત દિવસે ને દિવસે વધતાં જોવા મળી રહ્યા  છે. કોરોના  કેસ માં સતત  ઉછાળો જોવા  મળી રહ્યો  છે . સાથે  કોરોનાના નવા વેરિઅન્ટના કેસ પણ વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 394કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે જે ચિંતાજનક બાબત છે,હાલ રાજ્યમાં કોરોના પ્રત્યે બેદરકારી જોવા મળી રહી છે,સરકારની ગાઇડલાઇન નેવે મુકી દીધી છે,જેના લીધે ત્રીજી લહેર આવવાની સંભાવના નકારી શકાય નહી આજે જે રીતે કેસમાં ઉછાળો જોવા મળ્યો છે તંત્ર માટે રેડ એલર્ટ સમાન છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 394કેસ નોંધાયા છે,જ્યારે અમદાવાદમાં સૌથી  વધુ 178કેસ  વડોદરામાં 34, સુરતમાં 52  , રાજકોટમાં 35 કોરોનાના કેસ નોંધાયા છે.જ્યારે કોરોનાને માત આપીને સાજા થનાર દર્દીઓની સંખ્યામાં ઘટડોથઇ રહ્યો છે,છેલ્લા 24 કલાકમાં 59 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી  એક દર્દીનું મોતથયું છે.

આ  પણ વાંચો:Business / શું સરકાર 31 ડિસેમ્બરની રાત સુધી ટેક્સટાઇલ સેક્ટરના GST દર 5% રાખવાનો નિર્ણય લેશે?

રાજયમાં કોરોના વિસ્ફોટની  સાથે રાજ્યમાં ઓમિક્રોનનો પણ રાફડો ફાટ્યો છે. રાજ્યમાં ઓમિક્રોનના 29 કેસ નોંધાયા છે. PM નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ડર, મૂંઝવણ અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. તો સાથે હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારોને બૂસ્ટર ડોઝ આપવામાં અંગે પણ જણાવ્યું હતું .  તેનું લોન્ચિંગ 10 જાન્યુઆરી, 2022થી શરૂ થશે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ ઉંમરના ગંભીર રોગોથી પીડિત લોકોને પણ બૂસ્ટર ડોઝનો વિકલ્પ આપવામાં આવશે. તેઓ તેને ડોક્ટરની સલાહ પર લઈ શકે છે.

આ પણ  વાંચો:ન પર નજર / રાજનાથ સિંહે લદ્દાખમાં વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું

રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ
રાજ્યમાં કોરોનાના કેસ 350 ને પાર
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 394 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 178 કેસ
સુરતમાં 52 કેસ નોંધાયા
રાજકોટમાં 35 અને વડોદરામાં 34 કેસ
છેલ્લા 24 કલાકમાં 59 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1420
રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મોત
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,29,467
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,18,422
રાજ્યમાં ઓમિક્રોન નવા 5 કેસ