નિર્મલ પટેલ
પોલીસ કોન્સ્ટેબલને ગાર્ડઓફઓનર ના સન્માન સાથે અંતિમ વિદાયમાંનઅપાયું. નર્મદા જીલ્લાના ડેડિયાપાડામાં પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા.
વાંકલ ના ઉમરપાડાતાલુકાના બિલવણગામે કોરોનાસંક્રમિત પોલીસકોન્સ્ટેબલનું અવસાન થતાં ગાર્ડઓફઓનરના સન્માન સાથે અંતિમ વિદાયમાંન અપાયું હતું.
બિલવણગામના નાનીબિલવણ ફળિયામાં રહેતા મોહનભાઈ રામજીભાઈવસાવા ઉંમરવર્ષ 53 નર્મદાજિલ્લાના દેડિયાપાડા તાલુકામથક પોલીસસ્ટેશનમાં પોલીસકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. હાલ તેઓ પોતાના વતન બિલવાણગામે હતા.ત્યારે છેલ્લા બેદિવસથી તેઓની તબિયત લથડી હતી. ત્યારબાદ અવસાન થયું હતું. તેમના મૃતદેહને ઉમરપાડાખાતે આવેલ સરકારીહોસ્પિટલમાં પી. એમ.માટે લઇ જવામાં આવ્યો હતો.પી.એમ.રિપોર્ટમાં તેમનું અવસાન કોરોના વાયરસને કારણે થયું હોવાનું બહાર આવ્યું હતું. તેમના અવસાનની જાણ પરિવારજનો દ્વારા નર્મદાજિલ્લા પોલીસતંત્રને કરવામાં આવતા પોલીસતંત્ર દ્વારા સરકારી માન-સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને અંતિમ વિદાયમાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના અંતિમસંસ્કાર બિલવાણ ગામે કરવામાં આવ્યા હતા.