કચ્છ/ પ્રવીણ તોગડિયા: સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં કોરોના નડે છે રાજકીય મેળાવડામાં જનમેદની ભેગી થાય છે

મોહન ભાગવતજીએ નિવેદન આપ્યું હતું કે, હિન્દૂ – મુસ્લિમના ડીએનએ એક છે. જ્યારે આ નિવેદન થયું છે ત્યારે મને rss સાથે જોડાવવાનો પણ અફસોસ થઈ રહ્યો છે.

Top Stories Gujarat Others
પ્રવીણ તોગડિયા

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા સરહદી કચ્છ જિલ્લાના પ્રવાસે છે. તેઓએ આજે ભુજમાં પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં સરકાર પર પ્રહાર કરવા સાથે હિન્દુવાદી વિચારસરણીને આગળ ધપાવવા માટેનું મંતવ્ય આપ્યું હતું.

પ્રવીણ તોગડિયા એ જણાવ્યું કે, હાલમાં કોરોના હજી ગયો નથી જેથી લોકો બે માસ્ક પહેરે, બે વેકસીન મુકાવે અને બે ગજની દુરી રાખે તે જરૂરી છે.  સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં કોરોના નડે છે રાજકીય મેળાવડામાં જનમેદની ભેગી થાય છે.

જેથી તમામ કાર્યક્રમોમાં એકસમાન હાજરી હોવી જોઇએ.તાજેતરમાં આરએસએસના મોહન ભાગવતજીએ નિવેદન આપ્યું હતું કે, હિન્દૂ – મુસ્લિમના ડીએનએ એક છે. જે મુદ્દે કહ્યું કે મેં મારા જીવનના 55 વર્ષ RSS સાથે વિતાવ્યા છે જેમાં હિન્દૂ વિશે શીખવવામાં આવ્યું અને હવે જ્યારે આ નિવેદન થયું છે ત્યારે મને rss સાથે જોડાવવાનો પણ અફસોસ થઈ રહ્યો છે.

ઓફલાઇન વર્ગ શરૂ! / ત્રણ રાજ્યોમાં શાળાઓ ખુલવાની શરૂઆત, કોવિડ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન

સુરત /  ઉભેળ ગામનાં ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા વિકરાળ આગ લાગી હતી

રામ મંદિર માટેની જમીન 2 કરોડમાં લેવાના બદલે 18.5 કરોડમાં ખરીદાઈ હતી.  જે મુદ્દે પણ ટીકા કરી હતી. કચ્છમાં નર્મદાના કામો છ મહિનામાં પૂર્ણ કરવામાં આવે,ગૌ હત્યાના બનાવો સંદર્ભે મૃત્યુદંડની સજાની માંગ કરી હતી. કોરોનામાં ઓકિસજનની કમીથી સરકારે દાવો કર્યો છે કે,કોઈ મોતને ભેટયું નથી પણ દેશમાં 117 લોકો ઓકિસજનની કમીથી મોતને ભેટયા હોવાનું પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું.

મહામારીનો ભય / વધી રહ્યા છે કોરોનાનાં કેસ, રાખજો સાવધાની, નહી તો થશે ત્રીજી લહેરની પધરામણી

ટ્રેન્ડિંગ / ઓલિમ્પિકમાં મહિલા હોકી ટીમનું પ્રદર્શન જોઈને લોકો ‘ચક દે ઈન્ડિયા’ ના કબીર ખાનની આવી યાદ

15 ઓગસ્ટ સુરક્ષા / આ અઠવાડિયે લાલ કિલ્લા પર એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવશે