ભારતમાં કોરોનાવાયરસ કેસના 26,600 નવા કેસ નોંધાયા છે, રિકવરી માંડ 17,600 જ નોંધાઈ છે. જે છેલ્લા 84 દિવસમાં સૌથી વધુ કોરોના સંક્રમણનો આંકડો છે. એક્ટિવ કેસ હવે 2.16 લાખને પાર થયા છે.આ સાથે, દેશમાં સંક્રમણ લાગેલ લોકોની કુલ સંખ્યા વધીને 1,13,59,048 થઈ ગઈ છે.આ પહેલા 20 ડિસેમ્બરે 26,624 નવા ચેપના કેસ નોંધાયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં કોવિડ -19 ને કારણે 120 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં ચેપને કારણે અત્યાર સુધીમાં 1,58,607 લોકો મૃત્યુ પામ્યા છે.
એક તરફ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 16,600 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, પંજાબ, કર્ણાટક, ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ કેસ સતત વધી રહ્યા છે. દેશભરમાં નવા કેસોમાં વેગ મુખ્યત્વે ફેબ્રુઆરીથી નોંધવામાં આવી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં પહેલાં નવા કેસો ઝડપથી વધી રહ્યા હતા, હવે દિલ્હી, પંજાબ અને કર્ણાટકમાં પણ કેસો ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં આ વર્ષના સૌથી વધુ 16,600 કેસ નોંધાયા છે. ઘણા જિલ્લાઓમાં સંક્રમણ દૂર કરવા માટે ઘણા નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે.હવે 10 રાજ્યોમાં કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે જેના કારણે પરિસ્થિતિ વણસી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…