આક્રોશ/ કોરોનાની સારવાર દરમિયાન લાખોનો ખર્ચ, છતા મરણના દાખલામાં કોરોનાથી મૃત્યુ થયું હોવાનો કોઈ જ ઉલ્લેખ નહિ

સારવાર દરમિયાન 15 થી 20 લાખનો ખર્ચ થયો, તમામ પુરાવા હોવા છતા મરણના દાખલામાં કોરોનાથી મૃત્યુ થયું હોવાનો કોઈ જ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. પરિવારજનોનો દુઃખ સાથે આક્રોશ હતો કે સારવાર માટે લાખો રૂપિયાની લૂંટ ચલાવાય છે અને સરકાર મોતના આંકડા છુપાવે છે.

Top Stories Gujarat Others
bhupendra yadav 2 4 કોરોનાની સારવાર દરમિયાન લાખોનો ખર્ચ, છતા મરણના દાખલામાં કોરોનાથી મૃત્યુ થયું હોવાનો કોઈ જ ઉલ્લેખ નહિ
  • કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કોરોના મહામારીમાં મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી
  • મૃતકના પરિવારોને 4 લાખ સહાય આપવા સરકારને અપીલ
  • સાબરકાંઠા જિલ્લા ખાતે વિસ્તૃત કારોબારીનું આયોજન

ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીમાં અવસાન પામેલ મૃતક ના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવશે અને સરકારની નિષ્ફળતાના કારણે પ્રજાએ ભોગવેલી હાલાકી અને સાચી હકીકતો જનતા સમક્ષ બહાર લાવેશે.

આ સંદર્ભે અમિત ચાવડાએ સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાનાં હડિયોલ, ગઢોડા, કાણીયોલ ગામે  કોરોના મહામારીમાં અવસાન પામેલ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના કાણીયોલ ગામના 32 વર્ષના નવયુવાનો નકુલભાઇ રાજુભાઈ પટેલ અને પરેશકુમાર કાન્તિભાઈ પ્રજાપતિનું કોરોનાને કારણે અવસાન થયું છે. સામાન્ય પરિવારને સારવાર દરમિયાન 15 થી 20 લાખનો ખર્ચ થયો, તમામ પુરાવા હોવા છતા મરણના દાખલામાં કોરોનાથી મૃત્યુ થયું હોવાનો કોઈ જ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. પરિવારજનોનો દુઃખ સાથે આક્રોશ હતો કે સારવાર માટે લાખો રૂપિયાની લૂંટ ચલાવાય છે અને સરકાર મોતના આંકડા છુપાવે છે.

ભાજપના ભ્રષ્ટ શાસનમાં કોરોના મહામારીમાં લાખો લોકોના મોત, હાડમારી-, આર્થિક પાયમાલી, ખેડૂતોની સમસ્યાઓ, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ-આરોગ્ય જેવી પાયાની સુવિધાના અભાવને કારણે જનતામાં આક્રોશ છે. આગામી સમયમાં જન આંદોલનો અને સંગઠનના કાર્યક્રમો થકી જનસંપર્ક અભિયાનની શરૂઆત અનુસંધાને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની વિશેષ ઉપસ્થિતીમાં વિસ્તૃત કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવેલ હતું.