ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,68,063 નવા કેસ નોંધાયા છે, જે પાછલા દિવસની સરખામણીએ 6.5% ઓછા છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મંગળવારે દર્શાવે છે. આનાથી કુલ કેસ 3,58,75,790 નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 277 જેટલાં મૃત્યુ નોંધાયા છે, જેમાં કુલ નોંધાયેલા મૃત્યુની સંખ્યા વધીને 4,84,213 થઈ ગઈ છે.
COVID-19 | India reports 1,68,063 fresh cases, 69,959 recoveries & 277 deaths in the last 24 hours
Active case tally reaches 8,21,446. Daily positivity rate (10.64%)
Omicron case tally at 4,461 pic.twitter.com/ikKRh2Xh6G
— ANI (@ANI) January 11, 2022
દેશમાં કોરોના સૈાથી વધારે આ પાંચ રાજ્યોમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 33,470, બંગાળમાં 19,286,જ્યારે દિલ્હીમાં 19,166 કેસ તમિલનાડુમાં 13,990 અને કર્ણાટકમાં 11,698 કેસ નોંધાયા છે.
દેશમાં કોવિડ-19થી અત્યાર સુધીમાં 3 કરોડ 45 લાખ 70 હજાર 131 લોકો સાજા થયા છે. દેશમાં કોવિડ-19થી અત્યાર સુધીમાં 3 કરોડ 45 લાખ 70 હજાર 131 લોકો સાજા થયા છે. જ્યારે ઓમિક્રોનના વધતા ખતરા બાદ હવે સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 8 લાખ 21 હજાર 446 થઈ ગઈ છે. સોમવારે ભારતમાં કોરોના વાયરસ માટે 15,79,928 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગઈકાલ સુધીમાં કુલ 69 કરોડ 31 લાખ 55 હજાર 280 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે