મતગણતરી/ રાજ્યની તમામ 6 મહાનગરપાલિકા માટેે મત ગણતરી શરૂ, બેલેટ પેપર બાદ થશે EVM થી મત ગણતરી

ગુજરાતમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા રવિવારે સંપન્ન થઈ ગઈ છે.

Gujarat Others
અલ્પેશ 28 રાજ્યની તમામ 6 મહાનગરપાલિકા માટેે મત ગણતરી શરૂ, બેલેટ પેપર બાદ થશે EVM થી મત ગણતરી

ગુજરાતમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા રવિવારે સંપન્ન થઈ ગઈ છે. આજે સવારે 8 વાગ્યાથી રાજ્યની તમામ 6 મહાનગર પાલિકા માટે મત ગણતરી શરુ થશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગ દર્શિકા અનુસાર આ 6 મનપાની ગણતરી હાથ ધરવામાં આવશે. રાજ્યની 6 મહાનગર પાલિકામાં સરેરાશ 45.64 ટકા મતદાન યોજાયુ હતું. અમદાવાદ, સુરત સહિત 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 575 બેઠકોની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સહિતનાં 2276 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે.

6 મનપાની ચૂંટણીનું આજે પરિણામ આશે. ત્યારે આપને જણાવી દઇએ કે, સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ પેપરની મતગણતરી થશે. સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થઇ ગયો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર, સુરત, ભાવનગર મનપાની મતગણતરી થવાની છે. આ સાથે મતગણતરી કેન્દ્રો પર કોવિડનાં નિયમોનું પાલન થશે.

6 મહાનગરપાલિકામાં જાણો કેટલુ થયુ હતુ મતદાન?

6 મનપાની ચૂંટણીમાં સરેરાશ 46.08 ટકા મતદાન થયું છે. જેમાં અમદાવાદમાં 42.51 ટકા મતદાન થયું હતું. રાજકોટમાં 50.72 ટકા મતદાન થયું હતું. જામનગરમાં 53.38 ટકા મતદાન થયું હતું. સુરતમાં 47.14 ટકા મતદાન થયું હતું. વડોદરામાં 47.84 ટકા મતદાન થયું હતું. ભાવનગરમાં 49.46 ટકા મતદાન થયું હતું.

આપને જણાવી દઇએ કે, અમદાવાદમાં 2 કેન્દ્રો એલ.ડી એન્જિ.કોલેજ-ગુજરાત કોલેજમાં ગણતરી શરૂ થઇ. રાજકોટમાં 6 સ્થળોએ હાથ ધરાશે મતગણતરી. જામનગરમાં હરિયા કોલેજ ખાતે મતગણતરી થશે. ભાવનગરમાં સરકારી એન્જિ.કોલેજમાં મતગણતરી થશે. વડોદરામાં પોલિટેકનિક કોલેજમાં મતગણતરી થશે. સુરતમાં 2 સ્થળોએ હાથ ધરાશે મતગણતરી થશે. ગાંધી એન્જીનિયરિંગ કોલેજમાં મતગણતરી થશે. સુરતમાં SVNIT કોલેજ ખાતે મતગણતરી શરૂ. મતગણતરી બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.

આપને જણાવી દઇએ કે, સૌપ્રથમ પોસ્ટલ બેલેટથી મતગણતરી થશે અને બાદમાં ઇવીએમ દ્વારા મતગણતરી થશે. અમદાવાદની વાત કરીએ તો અહી બે સેન્ટરો પર મતગણતરીનું આયોજન કરવામાં આવેલુ છે.  ગુજરાત કોલેજ- LD કોલેજ ખાતે ગણતરી શરૂ. બંને સેન્ટરો પર 24-24 વોર્ડની મતગણતરી થશે. પ્રથમ તબક્કામાં 8 વોર્ડની ગણતરીની શરૂઆત થશે. 773 ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો આજે થશે. જણાવી દઇએ કે, સૈજપુરબોઘા, થલતેજ, બાપુનગર, સરદારનગર વોર્ડ, દરિયાપુર, પાલડી, બહેરામપુરા અને વસ્ત્રાલ વોર્ડની મત ગણતરી શરૂ.

રાજકોટ મનપાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. વોર્ડ નંબર 13, 14 અને 15 નંબરની મત ગણતરી શરૂ. પી.ડી.માલવીયા કોલેજ ખાતે મતગણતરી. કાઉન્ટિંગ સેન્ટર બહાર ગોઠવાયો પોલીસ બંદોબસ્ત.

ભાવનગરની બીપીટીઆઈ એન્જીનીયરીંગ કોલેજ ખાતે મતગણતરી થશે, કે જેમાં ચાર ઝોનમાં ગણતરી કરવામાં આવશે, એક ઝોનમાં 3 વોર્ડનો સમાવેશ હશે. કુલ 841 કર્મચારીઓ મત ગણતરીમાં જોડાશે. કુલ 28 ટેબલો પર મત ગણતરી થશે અને 400થી વધારે પોલીસ કર્મીઓ સુરક્ષા માટે જોડાશે. કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે 24 હેલ્થકર્મીઓ પણ હાજર રહેશે અને કોવીડની ગાઈડલાઈનનું પાનલ થાય છે કે કેમ તેના પર પણ તંત્રનું ધ્યાન રહેશે.

આપને જણાવી દઇએ કે, મનપા ચૂંટણીનાં પરિણામ પહેલા અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઇ છે. 200થી વધુ લોકો વિજય સરઘસમાં હશે તો કાર્યવાહી થશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

https://youtu.be/wG90biJzlkg

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ