ભારતીય રેલવે 27મી જૂન એટલે કે મંગળવારે દેશવાસીઓને એક સાથે પાંચ નવી વંદે ભારત ટ્રેનો ભેટ સ્વરૂપે મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મધ્યપ્રદેશના પ્રવાસે છે. તેઓ સવારે 11 વાગ્યે રાજધાની ભોપાલના રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી પાંચ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. આ દરમિયાન, પ્રધાનમંત્રી રાણી કમલાપતિ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ સિવાય બાકીની ચાર ટ્રેનોને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરશે.
Five new #VandeBharatExpress primed to reign over the tracks and hearts of the citizens. Stay tuned to know about the routes!#देश_के_कोने_कोने_में_वंदे_भारत pic.twitter.com/sHWQhgsrOy
— Ministry of Railways (@RailMinIndia) June 26, 2023
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ભોપાલથી રાણી કમલાપતિ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ, ખજુરાહો-ભોપાલ-ઈંદોર વંદે ભારત એક્સપ્રેસ, મડગાંવ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ, ધારવાડ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ અને રાંચી-પટના વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. મધ્યપ્રદેશને આ વખતે એકસાથે બે વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. ગોવા, બિહાર અને ઝારખંડને તેમની પ્રથમ વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. આ સિવાય કર્ણાટકને બીજી વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે.