Not Set/ PMની અધ્યક્ષતામાં આજે તમામ CM સાથે નીતિ આયોગની પાંચમી બેઠક, મમતા રહેશે ગેરહાજર

PM મોદી અને કેન્દ્રની ભાજપ સરકાર સામે હાલ જો કોઇ માટો પ્રશ્ન હોય તે તો દેશની કથળતી અર્થિક સ્થિતિ અને રોજગારીનો છે. અર્થતંત્રને પાટા પર લાવવા મોદી સરકાર દ્રારા તમામ પ્રયત્નો કરવામા આવી રહ્યા છે. RBI દ્રારા ટુંકા ગાળામાં બે વાર રેપો રેટમાં કપા મુકવામા આવ્યો તે પણ આજ કારણે લેવામાં આવેલું પગલું હતું. તો […]

Top Stories India
pjimage 1 4 PMની અધ્યક્ષતામાં આજે તમામ CM સાથે નીતિ આયોગની પાંચમી બેઠક, મમતા રહેશે ગેરહાજર

PM મોદી અને કેન્દ્રની ભાજપ સરકાર સામે હાલ જો કોઇ માટો પ્રશ્ન હોય તે તો દેશની કથળતી અર્થિક સ્થિતિ અને રોજગારીનો છે. અર્થતંત્રને પાટા પર લાવવા મોદી સરકાર દ્રારા તમામ પ્રયત્નો કરવામા આવી રહ્યા છે. RBI દ્રારા ટુંકા ગાળામાં બે વાર રેપો રેટમાં કપા મુકવામા આવ્યો તે પણ આજ કારણે લેવામાં આવેલું પગલું હતું. તો રાજગારીની તકો ઉભી કરવા માટે પણ સરકાર દ્રારા યથાર્થ પ્રયત્નો હાલ કરવામા આવી રહ્યા છે.

food secretaries2 PMની અધ્યક્ષતામાં આજે તમામ CM સાથે નીતિ આયોગની પાંચમી બેઠક, મમતા રહેશે ગેરહાજર

બેઠકમાં ફૂગાવો, મોંધવારી, રોજગારી,દુકાળ, કૃષિ કટોકટી, વરસાદી પાણીની ખેતી અને ખરીફ પાક કિંમતો  સહિતના મહત્વનાં મુદ્દા અંગે ચર્ચા – વિચારણા કરવામાં આવશે. બેઠક, PM મોદી જેના અધ્યક્ષ છે તેવા નીતિ આયોગના નેજા તળે મળી રહી છે. બેઠકમાં પં.બંગાળનાં બળવા પર ઉતરેલા મુખ્યમંત્રી મમતા બનેરજી સિવાય તમામ રાજ્યોનાં મુખ્યમંત્રી હાજરી આપી રહ્યા છે. બેઠકમાં ફૂગાવો, મોંઘવારી, રોજગારી સહિતનાં તમામ મુદ્દા બાબતે કેન્દ્ર પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરી દેશની આર્થિક સહિતનાં મામલે દિશાની રૂપરેખા વિશે તમામ રાજ્યો સાથે ચર્ચા કરવામાં આવશે. અને સાથે સાથે અગાઉની બેઠકોમાં લેવામાં આવેલી નિર્ણયોની સમીક્ષા કરવામાં આવશે. જેથી ભવિષ્ય માટે દેશ વિકાસ સંબંધિત પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી શકે છે. આપને જણાવી દઇએ કે નીતિ આયોગના 5માં અધ્યક્ષતા ખુદ PMમોદી જ છે.

આયોગ દ્રારા આપવામા આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, બેઠકના પાંચ મુદ્દાનાં એજન્ડામાં, મહત્વાકાંક્ષી વિકાસ કાર્યો, કૃષિમાં ફેરફારો અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને નક્સલ અસરગ્રસ્ત જિલ્લાઓમાં ખાસ મીટિંગની અને સુરક્ષા મામલે ચર્ચા કરવામાં આવશે.
mamata modi PMની અધ્યક્ષતામાં આજે તમામ CM સાથે નીતિ આયોગની પાંચમી બેઠક, મમતા રહેશે ગેરહાજર
રાષ્ટ્રપતિ ભવન ખાતે આ બેઠકમાં તમામ રાજ્યના મુખ્યમંત્રી પ્રધાનો, કેન્દ્રશાસિત પ્રદેશોનાં મુખ્યમંત્રીઓ, ઘણાં કેન્દ્રીય મંત્રીઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ ભાગ લેશે. નવી નરેન્દ્ર મોદી સરકારમાં નીતિ આયોગની આ પ્રથમ બેઠક છે.વડા પ્રધાનની અધ્યક્ષતા હેઠળનાં ગવર્નિંગ કાઉન્સિલનાં સભ્યોમાં ફાઇનાન્સ, હોમ, ડિફેન્સ, એગ્રીકલ્ચર, કોમર્સ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ મિનિસ્ટર, રાજ્યના મુખ્ય પ્રધાનો, પોલિસી કમિશનનાં ડેપ્યુટી ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરોનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ મીટિંગમાં જોડાવાની ના પાડી દીધી છે. મમતાનું કહેવું છે કે નીતિ આયોગ પાસે રાજ્યોની યોજનાઓને ટેકો આપવા માટે નાણાંકીય શક્તિ નથી. તેથી આવી મીટિંગનો નિરર્થક છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.