દિલ્હી: ઈઝરાયેલી પીએમ નેતન્યાહૂનો આજે ભારતમાં બીજો દિવસ છે. આજે ઈઝરાયેલી પીએમ નેતન્યાહૂનું રાષ્ટ્રપતિ ભવનમાં તેમણું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપીને તેમને સમ્માનિત કરવામાં આવ્યાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને ઇઝરાયેલના પીએમને ગળે મળીને તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. નેતન્યાહુની આ મુલાકાત દરમિયાન ઈઝરાયલ અને ભારત વચ્ચે રક્ષા અને વ્યાપાર સહિત અનેક ક્ષેત્રે મહત્વના કરાર થવાના છે.
નેતન્યાહૂ કહ્યું કે, તમણે આશા છે કે ભારત યાત્રામાં ટેકનોલોજી, કૃષિ, અને વિશ્વમાં પરિવર્તન લાવવાં માટે બીજા ક્ષેત્રોમાં બંને દેશોના સંબંધ વધારે મજબુત થશે. મીડિયા સાથેની વાતચિતમાં કહ્યું કે, યરુશલમના ખિલાફ ભારતે વોટ નાખીને તમને નિરાશા થઈ છે. પણ તેમણી આ યાત્રાના સંકેત છે કે બંને દેશોના સબંધ ખુબ જ આગળ વધશે.
ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ ૬ દિવસની મુલાકાત દરમિયાન દિલ્લી, આગરા, અમદાવાદ અને મુંબઈની મુલાકાત પણ લેશે.