રાજયમાં અકસ્માતની ઘટનોમાં મોટો વધારો નોધાયો છે. ત્યારે બનાસકાંઠાના પરિવારનો રાજસ્થાનના ગુડા મલાણી નજીક ગમખ્વાર અક્સમાત સર્જાયો છે. જેમાં ચાર લોકોના મોત નિપજ્યાં છે. રાજસ્થાનની દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠાના ધાનેરાના મહેશ્વરી પરિવારનો રાજસ્થાનમાં અકસ્માત સર્જાયો. રાજસ્થાનના ગુડા મલાણી પાસે અકસ્માત સર્જાતા 3 મહિલા સહિત 4નાં મોત અને 1 વ્યકિતને ઈજા પહોંચી હતી. પરિવાર જેસોરથી દર્શન કરીને પરત આવી રહ્યો હતો. તે દરમિયાન આ ઘટના બની હતી.
જસોરથી દર્શન કરી પરત આવતી વખતે મહેશ્વરી પરિવારને અકસ્માત નડ્યો હતો. ટ્રકે ગાડીને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત માં ત્રણ મહિલા સહિત ચાર લોકોના મોત થયા હતા. તો અન્ય એક વાયક્તિ ઘાયલ અથઇ છે. એક સાથે ચાર લોકોના મોત થી મહેશ્વરી પરિવાર અને સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પરિવાર રાજસ્થાનના ભટીયાણી માતાજીના દર્શન કરી ગાડીમાં ધાનેરા પરત ફરી રહ્યો હતો. ત્યારે અચાનક ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક 8વર્ષની બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની છે. તેણીને સંચોરની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે. એક જ પરિવારની ત્રણ મહિલાઓ અને એક પુરુષ નું માર્ગ અકસ્માતમાં મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
બંધનું એલાન / કોંગ્રેસ દ્વારા આજે રાજ્યમાં બંધનું એલાન, વાસદ-બગોદરા હાઇવે ઉપર ટાયર સળગાવી વિરોધ
હાર્દિકનો ‘આપ’ પ્રચાર / વિરમગામમાં ‘ના PM, ના CM ‘માત્ર હાર્દિકના ફોટાવાળા ફુલસ્કેપના ચોપડા વિતરણનો વિવાદ, સ્થાનિક નેતાઓમાં નારાજગી
National / PM મોદીએ જણાવી માતા હીરાબેનની ડઝનબંધ સારી આદતો, તમે પણ વાંચો..