રામાયણ ની કેટલીક રસપ્રદ વાતો આપને જેઓઈ રહ્યા છે. તેમાં ખિસકોલીની વાર્તા પણ છે. જે મોટી પેઢી તો તેનાથી વાકેફ છે. પરંતુ નાના બાળકો જે હવે દાદા-દાદી પડે વાર્તા સાંભળવાનો સમય નથી અને દાદા-દઈ પાસે પણ વાર્તા કહેવા માટે સમય નથી. તેવા સંજોગોમાં આપની આવનારી પેઢી ભારતીય સંસ્કૃતિના ભવ્ય વરસથી પરિચિત કરવાનો નાનો પ્રયાસ અહીં હાથ ધર્યો છે.
લંકા પહોંચવા સમુદ્ર ઓળંગવા માટે ભગવાન રામ સમુદ્ર ઉપર સેતુ બાંધી રહ્યા હતા. ભગવાન વિશ્વકર્માએ નલ અને નીલને આ કાર્ય માટે તાલીમ આપી હતી. નલ અને નીલ વાનરોની મદદથી સેતુ બાંધી રહ્યા હતા. આ વખતે એક ખિસકોલી પણ એમને મદદરૂપ થવા જઈ પહોંચી. ખિસકોલી સેતુ બાંધવા સમુદ્રની રેતી લઇ જતી હતી. આ જોઇને વાનરો હસવા લાગ્યા. આટલા નાના જીવની પોતાના પ્રત્યેની આવી ભક્તિ જોઇને રામે એની પીઠ પંપાળી. ત્યારથી ખિસકોલીની પીઠ ઉપર સફેદ પટ્ટા પડી ગયા છે જે ભગવાન રામની આંગળીઓના નિશાન છે, એવું કહેવાય છે.