લલિત વસોયાએ રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ ભાજપમાં જોડાવાના છે તે બાબતને નકારતા પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધવલસિંહ પછી મારુ નામ પણ આ અફવામાં ચર્ચાઇ રહ્યુ છે.
ત્યારે તેઓએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યુ કે બીજેપી રાફેલ મુદ્દો, ખેડૂતોના પાકવીમો, અને પાણીના પ્રશ્નમાંથી લોકોનુ ધ્યાન ભટકાવી રહી છે.
અલ્પેશ ઠાકોર, ધવલસિંહ અને પછી હું પણ આ વાતની સ્પષ્ટતા કરતા જણાવુ છુ કે અમે ભાજપમાં જોડાવાના નહી. કોંગ્રેસના કોઇ સભ્ય ભાજપમાં જોડાય તેવી શક્યતા નથી.