Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં DCW કંપની સામે પ્રદૂષણ (DCW Company Pollution)ને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કંપનીમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપ સાથે અસરગ્રસ્ત વિસ્તારના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા લોકો તેમજ પશુઓના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કેમિકલયુક્ત પાણીના કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. અસરગ્રસ્ત લોકોએ કંપની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. કેટલાક લોકોની તબિયત ખરાબ થતાં સારવાર લેવાની ફરજ પડી હોવાનું પણ સામે આવ્યું છે.
કંપની બહાર સ્થાનિકોનો વિરોધ
2 ઓગસ્ટના રોજ ગ્રામજનોએ DCW કંપની બહાર એકત્ર થઈ ભારે હોબાળો કર્યો હતો. સ્થાનિકોએ કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરવાની માંગ કરી હતી. વિરોધ વધતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો શાંત પાડ્યો હતો.ગ્રામજનોનો આરોપ છે કે લાંબા સમયથી પ્રદૂષણ (DCW Company Pollution)ની સમસ્યા સામે તેઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે, પરંતુ યોગ્ય ઉકેલ મળતો નથી.
DCW Company Pollution: 70થી વધુ લોકો સારવાર હેઠળ હોવાનો દાવો
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કેમિકલયુક્ત પાણીના સંપર્કમાં આવતા લોકોની તબિયત લથડી છે અને 70થી વધુ અસરગ્રસ્ત લોકો સારવાર હેઠળ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સામાજિક કાર્યકર નૌશાદ સોલંકીએ અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈ સ્થિતિ જાણી હતી.તેમણે આક્ષેપ કર્યો હતો કે અસરગ્રસ્ત લોકોની સમસ્યા જાણવા માટે કંપની તરફથી કોઈ પ્રતિનિધિ પહોંચ્યો નથી અને તંત્રએ પણ અસરકારક કાર્યવાહી કરવી જોઈએ.
GPCBએ લીધા પાણીના નમૂના
પ્રદૂષણના આક્ષેપો વચ્ચે ગુજરાત પ્રદૂષણ (DCW Company Pollution) નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા પાણીના નમૂના લેવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, નમૂનાઓ પ્રયોગશાળા તપાસ માટે મોકલવામાં આવ્યા છે.અધિકારીઓએ કહ્યું છે કે તપાસમાં જો કોઈ ઝેરી અસર અથવા નિયમોનો ભંગ સામે આવશે તો કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કાર્યવાહી અંગે લોકોમાં સવાલ
સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે જો તપાસમાં કંપનીની બેદરકારી સાબિત થશે તો શું માત્ર નોટિસ સુધી કાર્યવાહી સીમિત રહેશે કે પછી કડક પગલાં લેવાશે?ગ્રામજનો કંપનીનું લાયસન્સ રદ કરવા, જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને પ્રદૂષણ (DCW Company Pollution)ની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે.હાલ સમગ્ર મામલે GPCBની તપાસ બાદ આગળની કાર્યવાહી પર સૌની નજર છે.
આ પણ વાંચો:ઓઝત નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાના આક્ષેપ, ખેડૂતોમાં રોષ; GPCBની કામગીરી સામે સવાલ
આ પણ વાંચો:દહેગામ નજીક કેમિકલયુક્ત પાણી ઠલવાતા લોકો અને પશુધનના સ્વાસ્થ્ય પર ખતરો
