example/ અન્ય દિવ્યાંગો માટે આ રીતે ઉદાહરણરૂપ બનતા દિવ્યાંગ હરેશભાઈ….

ગોધરાની ગાંધી બહેરા મૂંગા શાળામાં અભ્યાસ કરી ગયેલ શહેરા તાલુકાના આ ૧૯ વર્ષીય તરૂણ  મહેશભાઈ બારિયા વિશે વાત કરતા તેમના શિક્ષક હિરેનભાઈ ગોહિલ જણાવે છે કે પૂર્ણ રીતે મૂક-બધિર એવા મહેશ પોતાના શૈક્ષણિક કાળ દરમિયાન અને બાદમાં પણ દિવ્યાંગ બાળકો માટે એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યા છે.

Gujarat Others
dragan 13 અન્ય દિવ્યાંગો માટે આ રીતે ઉદાહરણરૂપ બનતા દિવ્યાંગ હરેશભાઈ....
  • કળા મહાકુંભ-૨૦૧૯માં સામાન્ય બાળકો સાથે સ્પર્ધા કરી જિલ્લામાં પ્રથમ ક્રમે રહ્યા હતા

@ મોહસીન દાલ, ગોધરા

આવતીકાલે ૩ ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી આંતરરાષ્ટ્રીય સ્તરે થનાર છે ત્યારે પંચમહાલ જિલ્લાના પાદરડી ગામના એક એવા દિવ્યાંગ યુવાન વિશે વાત કરીએ જેણે પોતાની દિવ્યાંગતાને જીવનમાં ક્યાંય બાધક બનવા નથી દીધી. ગોધરાની ગાંધી બહેરા મૂંગા શાળામાં અભ્યાસ કરી ગયેલ શહેરા તાલુકાના આ ૧૯ વર્ષીય તરૂણ  મહેશભાઈ બારિયા વિશે વાત કરતા તેમના શિક્ષક હિરેનભાઈ ગોહિલ જણાવે છે કે પૂર્ણ રીતે મૂક-બધિર એવા મહેશ પોતાના શૈક્ષણિક કાળ દરમિયાન અને બાદમાં પણ દિવ્યાંગ બાળકો માટે એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યા છે.

શાળાના દરેક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેતા અને પંચમહાલ જિલ્લાના સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં પ્રથમ-દ્વિતીય ક્રમ મેળવતા. પંચમહાલ જિલ્લાની સૌથી મોટી સાંસ્કૃતિક ઈવેન્ટ કહી શકાય તેવા પંચમહોત્સવની ઓપનિંગ સેરેમનીમાં ગૃપ ડાન્સના તેઓ મુખ્ય ડાન્સર રહ્યા હતા. ગત વર્ષના કળા મહાકુંભમાં પોતે મૂક બધિર હોવા છતા ચિત્ર સ્પર્ધામાં સમગ્ર પરવડી ક્લસ્ટર ત્યાર બાદ ગોધરા બ્લોક અને સમગ્ર પંચમહાલ જિલ્લાના સામાન્ય વિદ્યાર્થીઓ સાથે પ્રતિયોગિતા કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.

આગળ સમગ્ર પંચમહાલ જિલ્લાનું રાજ્ય સ્તરે પ્રતિનિધિત્વ કર્યુ હતું. ભરથગૂંથણ અને એમ્બ્રોઈડરીમાં નિપુણ મહેશ ગત વર્ષે ધોરણ-૮ પાસ કરી હાલમાં હાલોલ ખાતે આવેલ સેંટ ગોબેન કંપની લિમિટેડમાં માસિક ૯૫૦૦/- રૂ.ના પગાર સાથે જોબ કરીને અન્ય દિવ્યાંગો માટે પ્રશંસનીય ઉદાહરણ બની રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…