મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત એક કપ ગરમ ચા અને નાસ્તો થી કરે છે. કેટલાક લોકો એવા હોય છે જે ગમે ત્યાં અને ગમે તે સમયે ચા આપો તો તેઓ તેને ખુશીથી સ્વીકારે છે. આવા લોકોને ચા નથી મળતી, તો તેમને માથાનો દુખાવો થવા લાગે છે. ભારતમાં ચા દેશવાસીઓના હૃદયની ખૂબ નજીક છે. અને શા માટે નહીં? કેટલાક તેને થાક દૂર કરવામાં ઉપયોગી માને છે તો કેટલાક તણાવ દૂર કરવામાં માને છે. એવું પણ માનવામાં આવે છે કે ચા માં હાજર એન્ટિ-ઓક્સિડન્ટ્સ આપણી રોગપ્રતિકારક શક્તિને જાળવવામાં અસરકારક છે. પરંતુ તેનાથી જેટલો ફાયદો થાય છે, તેના કરતા વધુ નુકસાનકારક છે.
આ પણ વાંચો : આ રીતે ઠંડીમાં નાના બાળકોને રાખો સુરક્ષિત, જાણો લો ઉપાય
ઘણીવાર લોકોને ચા સાથે વિવિધ પ્રકારના નાસ્તા લેવાનું પસંદ હોય છે. સવારે કે સાંજે ચા સાથે નાસ્તો ખાવો એ મોટાભાગના લોકોની આદતમાં સામેલ છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેને ચા સાથે ખાવાથી શરીરને ઘણું નુકસાન થાય છે. જો તમે પણ ચા સાથે આ વસ્તુઓનું સેવન કરો છો તો આજે જ છોડી દો.
હળદર
ચા પ્રેમીઓએ એવી વસ્તુઓ ચા સાથે ન ખાવી જોઈએ જેમાં હળદરનો ઉપયોગ વધુ માત્રામાં કરવામાં આવે છે. જણાવી દઈએ કે હળદર અને ચા ના રાસાયણિક તત્વોમાં રાસાયણિક પ્રતિક્રિયા એટલી વધુ હોય છે, જે પાચન તંત્ર પર ખૂબ જ ખરાબ અસર કરે છે.
ખાટી વસ્તુઓ
ચા અને ખાટી વસ્તુઓ ખાવા કે પીવાથી એસિડિટી થઈ શકે છે. તેથી તેને સાથે ન લેવું જોઈએ. બીજી તરફ જો તમે ચા સાથે કોઈ નાસ્તો લઈ રહ્યા છો તો તેમાં લીંબુ કે ખાટી વસ્તુ બિલકુલ ન લો.
કાચો ખોરાક
જે લોકો ડાયટ ડાયટ કરીને સવારના નાસ્તામાં અંકરિત દાળ કે સલાડ સાથે ચા નું સેવન કરે છે, તેમણે હવે આવું ન કરવું જોઈએ. ચા સાથે કાચો ખોરાક અથવા કાચી વસ્તુઓ લેવાથી તમારા માટે સમસ્યા થઈ શકે છે. અને તેની સૌથી વધુ અસર તમારા પાચન તંત્ર પર પડશે.
ભૂલથી પણ ણ કરો ઠંડી વસ્તુઓનું સેવન
મોટાભાગના લોકો ચા પીધા પછી તરત જ ઠંડુ પાણી પી લે છે. જે ખૂબ જ નુકસાનકારક છે. આટલું જ નહીં, ચા પીધા પછી આઈસ્ક્રીમ કે સાદું પાણી પણ ન પીવું જોઈએ. જ્યારે પણ તમે ચા પીઓ છો, તેના લગભગ એક કલાક પછી તમે ઠંડી વસ્તુઓનું સેવન કરી શકો છો.
ઇંડાને ચા થી રાખો દૂર
ચા સાથે બાફેલા ઇંડાનું સેવન પણ ન કરવું જોઈએ. ઇંડામાં પ્રોટીન હોય છે, તેથી લોકો વિચારે છે કે તેને ચા સાથે લેવાથી કંઈ થશે નહીં, પરંતુ આવું ભૂલથી પણ ણ કરો. ચા સાથે બાફેલા ઇંડા ખાવાથી શરીરને નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચો : ઇમેજ કન્સલ્ટન્ટ બની વ્યક્તિત્વને નિખારો..
આ પણ વાંચો : આ સ્ટ્રેચીંગ કરવાથી શરીરમાં થતા દુઃખાવામાં મળશે રાહત..
આ પણ વાંચો : આ ટિપ્સનો ઉપયોગ કરીને તમે પણ સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો