વિકાસ/ ૭૫માં સ્વાતંત્ર્ય પર્વ અવસરે થયેલી રાજ્ય અને જનહિતની મહત્વ પૂર્ણ જાહેરાતો તમે જાણી કે નહિ?

રાજ્યના પ૦ બસ મથકોએ નાગરિક સુવિધા માટે ATM મુકવામાં આવશે.

Top Stories Gujarat Others
Independence Day

આજે સ્વાતંત્ર્ય દિવસ (Independence Day)ના દિવસે એટલેકે રાષ્ટ્રીય તહેવારે એક એક નાગરિકનું હિત થાય અને રાજ્યની જનતાને વધુ સુવિધા મળે એ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કેટલીક સુવિધાલક્ષી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતો દરેક નાગરિકે જાણવી જોઈએ. જે નીચે અનુસાર છે.

રાજ્યનાં બધાજ ૨૫૦ તાલુકાના ૭૧ લાખ NFSA કાર્ડ ધારકોને રાહત દરે પ્રતિ માસ કાર્ડ દીઠ ૧ કિલો ચણા આપવામાં આવશે. અત્યારે માત્ર પ૦ વિકાસશીલ તાલુકાને લાભ મળે છે, તેનો વ્યાપ વધશે.

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવવા માટેના હાલના પાત્રતાના ધોરણોમાં હાલની આવક મર્યાદા રૂ. ૧૦,૦૦૦/- પ્રતિ માસમાં વધારો કરીને રૂ. ૧૫૦૦૦/- કરવામાં આવશે.

રાજ્યમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા ઝીરો એર પોલ્યુશન ધરાવતી ઇલેક્ટ્રીક બસ દ્વારકા, અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવા આઇકોનિક રૂટ પર સંચાલનમાં મુકાશે.

રાજ્યના નાગરિકોની પરિવહન સુવિધા માટે આગામી સમયમાં રૂ. ૩૬૭ કરોડના ખર્ચે નવી ૧૨૦૦ BS-6 બસ સેવામાં મુકવામાં આવશે.

રાજ્યના પ૦ બસ મથકોએ નાગરિક સુવિધા માટે ATM મુકવામાં આવશે.

વર્લ્ડ બેંકની સહાયતાથી એનકોર પ્રોજેક્ટ અન્વયે ખંભાતના અખાતને મળતી નદીઓના એસ્ચ્યુરિઝના પાણીની ગુણવત્તા ચકાસણી, રિઅલ ટાઇમ કોસ્ટલ વોટર મોનિટરીંગ સિસ્ટમ જેવા આધુનિક સાધનોથી કરવામાં આવશે.

એકતાનગર-કેવડીયા કોલોનીમાં ટ્રોમા સેન્ટરની સુવિધા સાથે ૫૦ બેડની જિલ્લા કક્ષાની નવી આધુનિક હોસ્પિટલ માટે ૩ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

આ પણ વાંચો : સંભાળજો! નાગરિકધર્મ ચુકશો તો રાષ્ટ્રની ગરિમાને ઠેસ પહોંચશે | ઉજવણી કરજો પરંતુ આમાન્યા જરૂર જાળવજો