આરોગ્ય અને સુંદરતા માટે એલોવેરાના જ્યુસનું સેવન કરવું ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એલોવેરા દરેક ઘરમાં સરળતાથી જોવા મળે છે. તે વિટામિન સહિત એન્ટી ઓકિસડન્ટ જેવા ગુણધર્મો ધરાવે છે. તેનો ઉપયોગ કરવાથી પેટ અને ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. ખાસ કરીને એલોવેરા જ્યુસ તો ચાલો અમે તમને એલોવેરા જ્યુસ પીવાના ફાયદાઓ વિશે જણાવીએ.
પીવા માટે એલોવેરા જ્યુસ બનાવવા માટે પહેલા એક એલોવેરાનો ટુકડો લેવો. છરીની મદદથી તેની છાલ કાઢો અને જે જેલ નીકળે તેને ગ્રાઈન્ડરમાં લઈ સારી રીતે પીસી લો. તેનો સ્વાદ વધારવા માટે તમે તેમાં મધ અને લીંબુનો રસ ઉમેરી શકો છો. આ જ્યૂસને બનાવી અને તરત જ પી લેવું જોઈએ.
એલોવેરાના જ્યુસનું નિયમિત સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે. જેનાથી પેટ સાફ રહે છે અને સાથે ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે. સવારે ખાલી પેટ પર એલોવેરાનો રસ પીવાથી પાચનતંત્ર મજબૂત થાય છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દરરોજ સવારે આ જ્યૂસ પી શકાય છે. રોજ એલોવેરાનો જ્યુસ પીવાથી માથાનો દુખાવો અને તણાવ પણ દૂર થાય છે.