બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ફરાર રહેલા ડ્રગ પેડલર રીગલ મહાકાલની ધરપકડ કરી હતી. અનુજ કેશવાણી (એક અન્ય આરોપી) ને રીગલ મહાકાલ ડ્રગ્સ સપ્લાય કરતો હતો, જે આગળ અન્ય લોકોને સપ્લાય કરતો હતો. આ ધરપકડ બાદ એનસીબીની ટીમ મિલ્લત નગર અને લોખંડવાલામાં દરોડા પાડી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીંથી અત્યાર સુધીમાં 2.5 કરોડ રૂપિયાનો ડ્રગ મળી આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, રીગલ મહાકાલ અનુજ કેશવાનીને ડ્રગ્સ સપ્લાયર કરતો હતો, જે આગળ રિયા ચક્રવર્તી અને સુશાંતસિંહ રાજપૂતને સપ્લાય કરતો હતો. રીગલ પાસેથી મળેલી માહિતી બાદ એનસીબી હાલમાં અંધેરી પશ્ચિમ વિસ્તારમાં દરોડા પાડી રહી છે. એનસીબીની ટીમનું નેતૃત્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે કરે છે. આ દરોડામાં અત્યાર સુધીમાં ઉચ્ચ ગુણવત્તાની મલાણા ક્રીમ અને મોટી માત્રામાં રોકડ જપ્ત કરવામાં આવી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી, જે હાલમાં આરોપીને ત્યાં દરોડા પાડવામાં અવી રહ્યા છે, તે રીગલ મહાકાલને ડ્રગ્સનો મુખ્ય સપ્લાયર છે. ઉપરાંત, એનસીબીના સૂત્રોએ પુષ્ટિ આપી છે કે રીગલ બી-ટાઉનની કેટલીક હસ્તીઓ સાથે સંકળાયેલ છે. આપને જણાવી દઈએ કે, એનસીબી લાંબા સમયથી રીગેલની શોધ કરી રહી હતી. રીગલની ધરપકડ બાદ પૂછપરછમાં એનસીબીને ઘણી મહત્વપૂર્ણ માહિતી મેળવી શકે છે.
તમિલ ટીવી અભિનેત્રી વીજે ચિત્રાએ કરી આત્મહત્યા, હોટલના બાથરૂમમાં…
એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોનાથી નિધન, દેવોલિના ભટ્ટાચાર્જીએ પોસ્ટ શેર કરી આપી માહિતી
ભારતી-હર્ષનો રોમેન્ટિક વીડિયો વાયરલ, એક બીજાને KISS કરતા જોવા મળ્યા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…