- ગઢડા સ્વામીના આચાર્ય -દેવપક્ષનો વિવાદ
- એસ.પી.સ્વામીએ કર્યા ટ્રસ્ટી પર આક્ષેપ
- પોલીસતંત્ર દ્વારા ટ્રસ્ટીઓ સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
- Dy. SP રાજદીપસિંહ નકુમ સામે એસ.પી.સ્વામીએ કર્યા આક્ષેપ
- ટ્ર્સ્ટી તરીક હરિજીવન સ્વામીને દૂર કરવામાં આવ્યા
- ગઢડાસ્વામીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો
- ભાવનગર આઇજી ઓફિસમાં ચેરમેન રમેશ ભગતે કરી છે ફરિયાદ
ગઢડાનું સ્વામિનારાયણ મંદિર સત્તાની સાઠમારીનાં કારણે હાલ સતત ચર્ચામાં જોવામાં આવી રહ્યું છે. આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ખેંચતાણ સત્તાની સાઠમારી આહી નવી વાત નથી અને આ મામલે બને પક્ષો વારંવાર સામ સામે જોવામાં આવે છે, પરંતુ આ વખતે વિવાદ વધુ વકર્યો હોય તેવા એંધાણ જોવામાં આવી રહ્યા છે.
ફરી ગઢડા મંદિરમાં ચેરમેનની ખુરશી માટે નાટકીય રીતે સત્તાની ખેંચાખેંચી જોવામાં આવી રહી છે. આ વિવાદમાં ગઢડા ડીવાયએસપી પર ગંભીર આક્ષેપ થયા છે. આ મામલે સીસીટીવી ફૂટેજ પણ રજૂ કરવામાં આવ્યા છે. ગઢડાના એસ.પી.સ્વામીએ ગંભીર આક્ષેપ મૂક્યો છે કે ડીવાયએસપી નકુમે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે અને મંદિરના નવા ચૂંટાયેલા ચેરમેન રમેશ ભગતને કોલર પકડીને ઓફિસ બહાર કાઢ્યા જેવી હીન હરકતો પણ જાહેરમાં કરી છે. આટલું ઓછુ હોય તેવી રીતે ચેરમેન રમેશ ભગતને મા-બેન સામેની ગાળો પણ ભાંડવામાં આવી હોવાનો આક્ષેપ પણ થયો છે.
મળતી માહિતી પ્રમાણે ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીએ ચેરમેનના વિવાદને લઈને વીડિયો વાયરલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગઢડા મંદિરના ટ્રસ્ટી બોર્ડની મળેલી બેઠકમાં દેવ પક્ષના ચેરમેન હરજીવન સ્વામીને હોદ્દા પરથી દૂર કરાયા છે. તેમના સ્થાને રમેશ ભગતની નિમણૂક કરવામાં આવી છે. એસ.પી. સ્વામીએ આક્ષેપ મૂક્યો છે કે, રાત્રે આઠ વાગ્યે દેવ પક્ષના ટ્રસ્ટીઓ અને ડીવાયએસપી નકુમ ઓફિસમાં ધસી આવ્યા હતા અને ચૂંટાયેલા ટ્રસ્ટીઓ સાથે ગેરવર્તન કરીને તેમને બહાર કાઢી મૂક્યા હતા.
ડીવાયએસપી નકુમે આચાર્ય પક્ષના ટ્રસ્ટીઓને ઓફિસમાં મનફાવે તેવી ગાળો ભાંડી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ સાથે જ ડીવાયએસપીની આ વરવી ભૂમિકાને લઈને આઈજી, રાજયના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી તાત્કાલિક તપાસ કરે તેવી માંગણી પણ પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીએ કરી છે. મંદિરની આ આખી ઘટનાને લઈને પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીએ નિવેદન આપતો વીડિયો વાયરલ કર્યો છે.
આ મામલે વર્તમાન ચેરમેન રમેશ ભગત દ્વારા ભાવનગર આઈજી ઓફિસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમના કહેવા પ્રમાણે છઠ્ઠી 6 ડિસેમ્બરના રોજ રાત્રે આઠ વાગ્યે હરિજીવન સ્વામી અને વડતાલના નૌતમ સ્વામીના કહેવા મુજબ ડીવાયએસપીએ આવું વર્તન કર્યું છે.
રમેશ ભગતે સમગ્ર ઘટના મામલે જણાવ્યું હતું કે, “છઠ્ઠી ડિસેમ્બરના રોજ મિટિંગમાં મારી ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સાંજે હરજિવનદાસ સ્વામીએ પોલીસ સ્ટાફ બોલાવીને મને ધાક-ધમકી આપીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે અમારા બધા ટ્રસ્ટો હાજર હતા. ડીવાયએસપી નકુમે મને કોલર પકડીને બહાર કાઢ્યો હતો. મને ગાળો બોલી હતી.”
સીસીટીવીમાં શું જોવા મળ્યું ? : આ અંગે સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે, ડીવાએસપી નકુમ આચાર્ય પક્ષની બેઠકમાં ધસી આવે છે. આ વખતે તેમની સાથે એક ગનમેન પણ હોય છે. તેઓ ચેરમેન રમેશ ભગત પાસે પહોંચે છે અને તેને કોલરથી પકડીને ખેંચીને બહાર લઈ જાય છે. આ દરમિયાન તે રમેશ ભગતને લાફો પણ મારે છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે ડીવાયએસપી નકુમ સાદા ડ્રેસમાં હોય છે. તેઓને ચેરમેનની ખુરશી પર બેઠેલા પણ જોવા મળે છે. આ ઉપરાંત અમુક ભક્તો તેમને હાર પણ પહેરાવી રહ્યા છે.
એસ.પી. સ્વામીએ લાફો માર્યોનો હરજિવનદાસ સ્વામીએ કર્યો હતો આક્ષેપ: ગત રવિવારે આચાર્ય પક્ષે રવિવારે મંદિરના ચેરમેન હરિજીવનદાસ સ્વામીના સ્થાને રમેશ ભગતની ચેરમેન તરીકે નિમણૂક કરી હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ દેવ પક્ષે આ નિમણૂકને ગેરકાયદેસર ગણાવી હતી, કારણ કે મંદિરની ચૂંટણીમાં તેમનો વિજય થયો છે.
દરમિયાન આ અંગે થયેલી હુંસાતુંસીમાં પૂર્વ ચેરમેન એસપી સ્વામીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ મંદિરના ચેરમેન હરિજીવનદાસ સ્વામીએ કર્યો હતો. આ મામલે તેઓએ આચાર્ય પક્ષના એસ.પી. સ્વામી, ઘનશ્યામવલ્લભ દાસજી અને પાર્ષદ રમેશ ભગત સામે ફરિયાદ નોંધાવી હતી.
હરિજીવનદાસ સ્વામીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ‘રવિવારે નાટકીય રીતે મંદિરની સત્તા હસ્તગત કરી લીધી હોવાની આચાર્ય પક્ષની જાહેરાત બાદ સાંજે જ્યારે હું ચેરમેનની ઓફિસમાં ગયો ત્યારે પાર્ષદ રમેશ ભગત મારી ખુરશી પર બેઠા હતા અને પોલીસ પણ ત્યારે અમારી સામે હાજર હતી. આ સમયે એસપી સ્વામીએ મને ગાળ આપી અને લાફો મારી લીધો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…