બનાસકાંઠા/ પાલનપુરમાં સરકારી નર્સિંગ કોલેજની 10 વિધાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર

​​​​બનાસકાંઠા જિલ્લાની સરકારી નર્સરી કોલેજની 10 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની થયું હોવાની જાણકારી મળી છે. વિદ્યાર્થિનીઓએ ગઈકાલે રાત્રે હોસ્ટેલની અંદર બનેલું ભોજન ખાવામાં લીધું હતું.

Gujarat Others
ફૂડ પોઈઝનિંગની અસર
  • પાલનપુરમાં વિધાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર
  • સરકારી નર્સિંગ કોલેજની 10 વિધાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ
  • રાત્રિના ભોજન બાદ ફૂડ પોઝિશનિંગની થઇ અસર
  • ફૂડ પોઈઝનિંગ થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ

@રમેશ પટેલ

Banaskantha News: પાલનપુર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ચાલતી સરકારી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી 10 વિદ્યાર્થીનીઓને રાત્રિના ભોજન બાદ ફૂડ પોઝિશનિંગની અસર થતા તેમને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.નર્સિંગની વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલની અંદર ચાલતા મેસમાં રાત્રિ દરમિયાન ભોજન કર્યા બાદ તેમને ઝાડા ઉલટી અને તાવ આવવાનો શરૂ થયો હતો જે બાદ તેમને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જોકે દસમાંથી એકની તબિયતનો સુધારો થતાં તેને હોસ્ટેલ ખાતે મોકલવામાં આવતી.જ્યારે નવ વિદ્યાર્થીનીઓની હોસ્પિટલ ખાતે સારવાર હાલમાં ચાલુ છે.

મળતી માહિતી અનુસાર, બ​​​​નાસકાંઠા જિલ્લાની સરકારી નર્સરી કોલેજની 10 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની થયું હોવાની જાણકારી મળી છે. વિદ્યાર્થિનીઓએ ગઈકાલે રાત્રે હોસ્ટેલની અંદર બનેલું ભોજન ખાવામાં લીધું હતું. જેના પછી અચાનક તેમની તબિયત લથડી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ભોજનમાં બટાકાનું શાક અને રોટલી, ખીચડી અને કઢીનું મેનુ સામેલ હતું. ત્યારબાદ સવારે તેમને તાવ-વોમિટ અને ડાયહેરિયાની તકલીફો થવા માંડી હતી. જેના પગલે સિવિલ હોસ્પિટલમાં તેમને દાખલ કરીને તેમની ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવી હતી. જે બાદ તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ આ 9 વિદ્યાર્થિનીઓની હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ છે.

બનાસકાંઠા પહેલા ગત ઓગસ્ટ મહિનામાં આવી જ ઘટના વડોદરામાં જોવા મળી હતી જેમાં શહેરના દરજીપુરા ખાતે આવેલી રાજ્ય સરકાર દ્વારા સંચાલિત અનુસૂચિત જાતિની વિદ્યાર્થિનીઓ માટેની આદર્શ નિવાસી સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી અને તેના પગલે 12 જેટલી વિદ્યાર્થિનીઓને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ ઘટના બાદ હોસ્ટેલમાં રહેતી તમામ વિદ્યાર્થિનીઓ ડરી ગઈ હોવાથી પોતાના ઘરે પાછી જતી રહી હતી. કેટલાક વાલીઓ સ્કૂલમાં તપાસ કરવા પહોંચ્યા હતા અને તેમણે જાતે હોસ્ટેલમાં સડેલા શાકભાજી તથા અન્ય હલકી ગુણવત્તાવાળા અનાજનો જથ્થો જોયો હતો. આ પછી વાલીઓએ વોર્ડન બદલવાની તથા ભોજન પૂરું પાડતી એજન્સીઓ સામે કાર્યવાહીની માગ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 પાલનપુરમાં સરકારી નર્સિંગ કોલેજની 10 વિધાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃઆણંદથી ઘરફોડ ચોરીઓને અંજામ આપતી ગેંગ ઝડપાઈ, રૂ.16.75 લાખની ચોરીની કબુલાત

આ પણ વાંચોઃ ખાતરની અછત સામે કોડીનારમાં ખેડૂતોની ખાતર માટે પડાપડી