મુંબઈ,
ટીવી અભિનેત્રી રૂપ દુર્ગાપાલ એક વર્ષ પછી નાની સ્ક્રીન પર પરત ફરી રહી છે. જણાવીએ કે, તેઓ લોકપ્રિય શો ‘બાલિકા વધુ’ અને ‘કુછ રંગ પ્યાર કે એસે ભી’માં જોવા મળી ચુકી છે. રૂપ ટીવી શો ‘પ્યાર તુને ક્યા કિયા’થી કમબેક કરી રહી છે.
રૂપએ તેને કમબેક વિશે જણાવતા તેણે એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, “મને ઇજા થઇ હતી જેના કારણે હું થોડાક સમય માટે ટીવી શોથી દૂર રહી હતી, અને પછી હું પ્લેબેક સિંગિંગ માટે પોતાને તૈયાર કરવામાં બીજી થઇ ગઈ હતી. પરંતુ હવે એક વર્ષ પછી હું એક્ટિંગ કારકિર્દી પર ધ્યાન આપવા માટે તૈયાર છું.”
શોમાં તેની ભૂમિકા વિશે તેણે જણાવ્યું હતું કે, “હું શોમાં મુખ્ય અભિનેત્રી છું.મારી ભૂમિકા એક અમીર પરિવારની છોકરીની છે, તે વકીલ છે, તે ઉતર-ચડાવની એક સુંદર લવ સ્ટોરી છે. પ્રથમ વખત હું ટીવી પર રોમેન્ટિક સીન કરીશ. મારા માટે, આ પાત્ર તદ્દન નવું છે, તે રોલ કરવા માટે પડકારરૂપ રહેશે, હું આ રોલ કરવા માટે ઉત્સાહિત છું.