ત્રિવેન્દ્રમ,
કુદરતના કહેરનો માર જીલી રહેલા કેરળમાં ૧૦૦ વર્ષના ઈતિહાસનું સૌથી ભયાનક પૂર આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અત્યારસુધીમાં રાજ્યમાં ૩૨૪ લોકોના મોત નીપજી ચુક્યા છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કેરળ પહોચ્યા છે અને તેઓએ પુર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સવેક્ષણ કર્યું હતું. ત્યારબાદ કેન્દ્ર દ્વારા ૫૦૦ કરોડ રૂપિયાની મદદ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પીએમ મોદીએ આ બેઠકમાં રાજ્યમાં આવેલા પુરની ચપેટમાં આવેલા મૃતકોના પરિજનોને ૨ લાખ રૂપિયાની મદદ અને ઘાયલોને ૫૦ હજાર રૂપિયાની રાશિ આપવાનું એલાન કર્યું છે. આ બેઠકમાં કેરળના મુખ્યમંત્રી પિનરયી વિજયન, કેન્દ્રીયમંત્રી કે જે અલફોન્સ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.