મુંબઈ
મહિલાઓની જાતીય સતામણીને લઇને હાલ ચાલી રહેલી #MeToo અભિયાનની અસર નીચે સુપરસ્ટાર આમીર ખાન અને તેના પત્નિ કિરણ રાવ પણ આવી ગયા છે.આમીર ખાને #MeToo કેમ્પઇનની અસરમાં આવીને એક ફિલ્મ છોડી દીધી છે.
આમીર અને કિરણએ લખ્યું છે કે અમને જાણવા મળ્યું છે કે જે ફિલ્મ પર અમે કામ શરુ કરવા જઈ રહ્યા છીએ તેના સાથે જોડાયેલ એક વ્યક્તિ મહિલાઓ સાથે ગેરવર્તન મામલે ફસાયેલો છે. મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે.અમે તપાસ એજન્સી નથી અને કોઈ પણ મામલાની સુનાવણી કરી રહ્યા નથી. આ પોલીસ અને ન્યાય વ્યવસ્થાનું કાર્ય છે. તે વ્યક્તિ વિશે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, તેથી અમે પોતાને ફિલ્મથી અલગ કરી રહ્યા છીએ.
આમીરે કોઈનું નામ નથી આપ્યું, પણ સુત્રોના કહેવા પ્રમાણે આમીર છેલ્લા દિવસોમાં ‘મુગલ’ કરવાનું નક્કી કર્યું હતું. ફિલ્મના દિગ્દર્શક સુભાષ કપૂર છે.
સુભાષે વર્ષ 2014 માં જાતીય દુર્વ્યવહાર કર્યો. આનો એક વીડીયો પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.. આ કારણોસર, આમીરે પોતાની જાતને ‘મુગલ’ થી અલગ કરી દીધી છે.
અક્ષય કુમાર ગુલશન કુમારના જીવન પર આધારિત ફિલ્મ બનાવવાની તૈયારીમાં હતા, પરંતુ કેટલાક કારણોસર તે કરી શક્યા નહીં. પાછળથી, આમીર ખાન તેમની સાથે જોડાયો અને હવે તે પણ અલગ થઈ ગયો છે.