ટીવીનો લોકપ્રિય શો ‘કહાં હમ કહાં તુમ’ ને પ્રેક્ષકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ હવે આ શો વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. એક અહેવાલ મુજબ દીપિકા કક્કર ઇબ્રાહિમ અને કરણ વી ગ્રોવરનો આ શો ઓફ એયર થવાનો છે. મળતા સમાચાર અનુસાર, 14 માર્ચે આ શો સમાપ્ત કરવામાં આવશે.
આ છે કારણ..
રિપોર્ટ્સ અનુસાર, આ મહિને ઘણા શો લોન્ચ કરવામાં આવી રહ્યા છે જેમ કે દાદી અમ્મા દાદી અમ્મા માન જા, દિલ જેસે ધડકે… ધડકને દો. આ બધા શોના લોન્ના લીધે ‘કહાં હમ કહાં તુમ’ એફ એયર કરવામાં આવી રહ્યો છે. જો કે, આ કારણ એકદમ વિચિત્ર છે કે નવા શોની રજૂઆતને કારણે, સારી રેટિંગ્સ સાથેનો શો બંધ કરવામાં આવી રહ્યો છે.
શોના ટ્રેક વિશે વાત કરીએ તો સોનાક્ષી (દીપિકા કક્કર) અને રોહિત સિપ્પી (કરણ વી ગ્રોવર) વચ્ચે આજકાલ કંઇ સારું નથી થઈ રહ્યું. બંને વચ્ચે અંતર આવી ગયા છે. એટલું જ નહીં, બંને વચ્ચે વિવાદ એટલો વધી ગયો છે કે છૂટાછેડાની નોબત પણ આવી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.