મુંબઇ,
જાણીતા કૉડિયન અને મેવિલન કાદર ખાનના મોતની ખબર ચારે બાજુ આગની જેમ ફેલાઇ હતી .ખુદ સરકારી એજન્સી એવી ઓલઇન્ડિયા રેડીઓએ પણ કાદર ખાનના મોતના સમાચાર વહેતા કરતા તેની પાછળ પાછળ અનેક હસ્તીઓ શ્રધાજલી આપવા મચી પડી હતી.
જો કે કાદાર ખાનના મોટા પુત્ર સરફરાઝ ખાને તેમના મોતના સમાચાર સાવ ખોટા ગણાવ્યા હતા.સરફરાઝએ કહયું કે ખોટી અફવા ના ફેલાવશો મારા પિતા હોસ્પિટલમાં છે અને તેમની સારવાર ચાલી રહી છે. 81 વર્ષના કાદર ખાન હાલ કેનેડામાં તેમના પુત્રને ત્યાં પ્રોગ્રેસીવ સુપ્રાન્યૂક્લિયર પાલસી નામના રોગની સારવાર કરાવી રહ્યા છે.
જાણીતા મેગા સ્ટાર અમિતાભ બચ્ચનએ ટ્વિટ કરતા કહ્યું કે ટેલેન્ટેડ રાઇટર કાદર ખાન હોસ્પિટલમાં સારવાર લઈ રહયાં છે.તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના