મુંબઈ
ભારત અને પાકિસ્તાનના વચ્ચે અવારનવાર ઉત્તેજનાપૂર્ણ માહોલ જોવા મળે છે. ભલેને પછી તે રાજકારણ અથવા રમતો. પરંતુ જ્યારે કલાની વાત આવે છે, ત્યારે બંને દેશો વચ્ચેના ભાઈચારાની લાગણી પણ જોવા મળે છે. આ સિવાય, જ્યારે બોલિવૂડના અભિનેતા ફિરોઝ ખાન પાકિસ્તાન ગયા ત્યારે પાકિસ્તાન કંઈ અલગ વાતવરણ જોવા મળ્યું હતું. ફિરોઝ ખાનનો એક અલગ અંદાજ હતો. તેમની સ્ટાઈલ અને ડાયલોગ બોલને લોકો ખૂબ જ પંસદ કરતા હતા.
હીરોના રોલમાં પ્રેક્ષકો તેમને લાઈક કર્યા જ હતા સાથે સાથે તેઓ ખલનાયકની ભૂમિકામાં પણ હીટ થયા હતા. તેનો જન્મ 25 મી સપ્ટેમ્બર, 1939 ના રોજ એક પઠાણ પરિવારમાં થયો હતો, જે અફઘાનિસ્તાનથી વિસ્થાપિત થયો હતો. તેમનો પરિવાર ગજનીમાં રહેતો હતો. તેમની માતા ઈરાની હતી. ફિરોઝની બેજવાબદારીના કારણે, જનરલ પરવેઝ મુશર્રફે તેમના પાકિસ્તાન આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
ફિરોઝ તેના બેફિકરપૂર્ણ નિવેદનો માટે પણ જાણીતા હતા. 2006 માં, જનરલ પરવેઝ મુશર્રફે તેમને પાકિસ્તાન આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. વાસ્તવમાં, જ્યારે ફિરોઝ પોતાના ભાઇ અકબર ખાનના તાજ મહેલને છોડાવવા માટે લાહોર ગયા હતા, ત્યારે તેમણે ભારત અને પાકિસ્તાનના મુસ્લિમોની સ્થિતિને લઈને ટિપ્પણી કરી હતી.
એક ઘટનામાં, તેમને ભારતમાં મુસ્લિમોની ગરીબ સ્થિતિ વિશે સવાલ કરવામાં આવ્યો હતો. ફિરોઝે તેમના જવાબમાં જણાવ્યું હતું કે, “ભારત ધર્મ નિરપેક્ષ દેશ છે મુસ્લિમો અહીં પ્રગતિ કરી રહ્યા છે. અમારા રાષ્ટ્રપતિ મુસ્લિમ છે, વડા પ્રધાન એક શીખ છે. પાકિસ્તાન ઇસ્લામના નામે બનાવવામાં આવ્યું હતું, પરંતુ અહીં તેમની શું હાલત છે. એકબીજાને મારી નાખે છે.’
તેણે કહ્યું હતું – ‘હું અહીં હું મારી જાતે નથી આવ્યો. મને અહીં આવવા માટે આમંત્રણ અપાયું હતું. અમારી ભારતીય ફિલ્મો એટલી પ્રભાવશાળી છે કે તમારી સરકાર તેને લાંબા સમય સુધી અટકાવી શકતી નથી. ‘ સમાચાર અનુસાર, આશરે 1000 લોકો તે પ્રોગ્રામમાં હાજર હતા. પછી તેમના નિવેદન પર પાકિસ્તાનમાં તદ્દન પ્રચંડ હતા. આ કેસ 2016 નો છે જ્યારે ફિરોઝે કહ્યું હતું કે, મનમોહન સિંહ ભારતના વડાપ્રધાન હતા. રાષ્ટ્રપતિના પદ પર એપીજે અબ્દુલ કલામ હતા.