મુંબઇ,
શ્રદ્ધા કપૂર જે આજકાલ મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે તેની આગામી ફિલ્મ ‘છિછોરા’ અને ‘સાહો’ના શૂટિંગ માટે ભાગદોડ કરી રહી છે. તે આ વીકેંડ પર તેમના પરિવાર સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરવા મુંબઈ પરત આવી છે.
શ્રદ્ધા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, શ્રદ્ધાને ઘરે બનાવેલી મીઠાઈઓ ખૂબ જ પસંદ છે અને મુંબઈમાં ફિલ્મ સેટ પર તેના સહયોગીઓ માટે તે ઘણી વખત મીઠાઈઓ લઈને જાય છે, તેના ઘરે બનાવેલ તલનાં લાડુ ખૂબ સ્વાદિષ્ટ હોય છે. શ્રદ્ધા કપૂરે પ્રભાસ અને સાહો ટીમ માટે લાડુ અને દેસી ઘીથી બનેલી ખીચિડીને મોકલી છે, જે ચારમિનાર શહેરમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. ”
ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો, ‘સ્ત્રી’ની સફળતા પછી શ્રદ્ધાની આગામી ફિલ્મો સાહો, છિછોરા, સાઈના અને એબીસીડીની આગામી ફિલ્મ કરી રહી છે.