ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડની એક્ટર્સ અનુષ્કા શર્માના લગ્ન 11 ડીસેમ્બરના રોજ ઈટલીમાં બોર્ગો ફીનોચીતો રિસોર્ટમાં લગ્ન થઈ ગયાં. અહી તેમના પરિવારના લોકો અને કેટલાક ખાસ લોકો જ હાજર રહ્યા હતાં. પણ આ લગ્નમાં ડીઝાઈનર અને ફોટોગ્રાફર વચ્ચે ભીડંત થઈ ગઈ હતી.
વિરાટ-અનુષ્કા ના ડીઝાઈનર સબ્યસાચી મુખર્જી અને ફોટોગ્રાફર જોસેફ રધિક વચ્ચે સોશ્યલ મીડિયા પર તીખીનોક્જોક થઈ ગઈ હતી. થયું એવું કે, સબ્યસાચી મુખર્જીએ લગ્નના ફોટોને બતાવા માટે પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર મુક્યા હતાં. પરંતુ સબ્યસાચી મુખર્જીએ જોસેફ એ ક્લિક કરેલા ફોટોગ્રાફ્સને ક્રેડીટ આપવી જરૂરી સમજી નહી.
જોસેફે સોશ્યલ મીડિયામાં કહ્યું કે, અનુષ્કા શર્માની માંગ હતી કે ત્તેમના લગ્નના ફોટોગ્રાફ્સને પોટ્રેટફ્રેમમાં આવવા જોઈએ અને અમે લગ્નના ફોટોને એજ એન્ગલથી ક્લિક કર્યા હતાં.
જોસેફે આગળ કર્યું કે, સબ્યસાચી મુખર્જી અને તેની ટીમે આ વર્ક શો કરવા માટે તેનો ઉપયોગ કર્યો. અને તેમણે ક્રેડીટ આપવી જરૂરીના સમજી.
આ ફોટોથી સબ્યસાચીએ પોતાના કામની ડીટેલ બતાઈ હતી. તમને જણાવી દઈકે જોસેફ એવોર્ડવિનિંગ ફોટોગ્રાફર છે.