ભારતના મહત્વના ધાર્મિક ગ્રંથોમાંનું એક મહાભારત સામાન્ય રીતે તે વિનાશક યુદ્ધ માટે જ જાણીતું છે. જ્યારે મહાભારતમાં વિવિધ પ્રકારના પાત્રો અને એવી ઘણી ઘટનાઓ છે જેમાંથી મહત્વપૂર્ણ બોધપાઠ મેળવી શકાય છે. મહાભારતમાંથી શીખેલી આ બાબતો તમારા માટે જીવનમાં ઘણી મદદગાર સાબિત થઈ શકે છે. આ પાઠ તમારું જીવન બદલી શકે છે. તો જાણીએ મહાભારતની કેટલીક એવી ઘટનાઓ અને તેમાંથી શીખેલા બોધપાઠ, જે તમને સફળતા પ્રાપ્ત કરવામાં ઘણી મદદ કરી શકે છે.
મહાભારત અને તેના મહત્વના બોધપાઠ
પોતાની જાત પર અને ભગવાનમાં વિશ્વાસ: મહાભારતના યુદ્ધ પહેલા, દુર્યોધન અને યુધિષ્ઠિર ભગવાન કૃષ્ણ પાસે મદદ માટે ગયા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તે બંને તેમની પાસે મદદ માંગવા આવ્યા છે, તેથી તે બંનેને મદદ કરશે. આ માટે એક બાજુ આખી નારાયણી સેના છે અને બીજી બાજુ માત્ર હું છું. તમે બંને આમાંથી પસંદ કરો. દુર્યોધન તરત જ નારાયણની સેના માગે છે. જ્યારે યુધિષ્ઠિર હાથ જોડીને ભગવાન કૃષ્ણને કહે છે કે અમને બસ તમારા સમર્થન અને આશીર્વાદની જરૂર છે. આ પછી ભગવાન કૃષ્ણએ યુદ્ધમાં શસ્ત્ર પણ ઉપાડ્યું ન હતું પરંતુ તેમના માર્ગદર્શન અને આશીર્વાદથી પાંડવોને વિજય મળ્યો હતો. તેથી હંમેશા તમારા અને ભગવાનમાં વિશ્વાસ રાખીને સાચા માર્ગ પર ચાલો, બધી મુશ્કેલીઓ પછી પણ તમને ચોક્કસપણે વિજય મળશે.
સમય સાથે તમારી જાતને બદલો: પાંડવોને દુર્યોધન દ્વારા દરેક રીતે હેરાન કરવામાં આવ્યા હતા અને તેમને મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાંડવોએ હિંમત ન હારી અને દરેક પરિસ્થિતિ માટે પોતાને તૈયાર કર્યા. પોતાનામાં ફેરફાર કર્યા અને અંતે જીત મેળવી. જુગારમાં હાર્યા બાદ પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ મળ્યો. તેથી તેમણે આ સમય ધીરજથી લીધો. પાંડવો જે હસ્તિનાપુરના રાજકુમાર હતા, તેઓ અજ્ઞાત સ્થળોએ વેશમાં રહેતા હતા. અર્જુને રાજા વિરાટની પુત્રી ઉત્તરાને નૃત્ય શીખવ્યું, જ્યારે ભીમ રસોઈયા બન્યા. દ્રૌપદી, જેની સેવામાં સેંકડો દાસી હતી, તેણે એક વર્ષનો વનવાસ દાસી તરીકે વિતાવ્યો. જો પાંડવો આવા વેશમાં ન રહ્યા હોત તો દુર્યોધન તેમને શોધી લેત અને પાંડવોને ફરીથી 12 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો હોત. તેથી, દરેક વ્યક્તિએ તેના સંજોગો અનુસાર પોતાને બદલવું જરૂરી છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: