Political/ તેલંગાણામાં અજાણ્યા શખ્સોએ ભાજપનાં નેતાને કારમાં જીવતા સળગાવી દીધા

તેલંગાણામાં ભારતીય જનતા પાર્ટીનાં નેતાનાં મોતનાં સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ કેટલાક અજાણ્યા શખ્સોએ ભાજપનાં નેતાને જીવતા સળગાવી દીધા હતા જે બાદ તેમનું મૃત્યુ થયું છે. આ ઘટના મેડક જિલ્લાની છે.

Top Stories India
તેલંગાણામાં

તેલંગાણામાં ભારતીય જનતા પાર્ટીનાં નેતાનાં મોતનાં સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ કેટલાક અજાણ્યા શખ્સોએ ભાજપનાં નેતાને જીવતા સળગાવી દીધા હતા જે બાદ તેમનું મૃત્યુ થયું છે. આ ઘટના મેડક જિલ્લાની છે. તેલંગાણામાં પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે. મેડક એસપી ચંદના દીપ્તિનું કહેવું છે કે ભાજપનાં નેતાને તેમની કારની અંદર કેટલાક લોકોએ આગ ચાંપી દીધી હતી. અમને તેમની બળી ગયેલી લાશ તેમની બળી ગયેલી કારની અંદર મળી છે. અમે આ મામલે કેસ નોંધ્યો છે અને તપાસ ચાલી રહી છે.

આ ઘટના અંગે સ્થાનિક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેલંગાણામાં આ અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી મળી નથી. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ અંગેની માહિતી નેતાનાં પરિવારનાં સભ્યો પાસેથી પણ લેવામાં આવી રહી છે.